મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને રાતે અઢી વાગ્યે ફોન કરીને માંગી પાંચ લાખની ખંડણી


SHARE











વાંકાનેરમાં યુવાનને રાતે અઢી વાગ્યે ફોન કરીને માંગી પાંચ લાખની ખંડણી

વાંકાનેરની મોમીન સોસાયટીમાં દરગાહ સામે લક્ષ્મીપરામાં રહેતા યુવાનને રાતના અઢી વાગ્યાના અરસામાં ફોન કરીને ગાળો આપવામાં આવી હતી અને બાદમાં તેની પાસેથી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની મોમીન સોસાયટીમાં દરગાહ સામે લક્ષ્મીપરામાં રહેતા સરફરાજભાઈ મહમદભાઈ ભોરણીયા જાતે મોમીન મુસ્લીમ (૩૫)એ હાલમાં વાંકાનેરના કુંભારપરામાં રહેતા મોહશીન સીકંદરભાઈ શાહમદાર જાતે ફકીર જેના મોબાઈલ નંબર ૮૩૪૭૨ ૮૪૦૪૭ છે તેની સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, ગત તા ૧૬ ના રોજ રાતે અઢી વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદી તથા સાહેદ ઝેદ પીરજાદાને ફોન કર્યો હતો અને વીના કારણે ગાળો આપી હતી અને ફરીયાદી યુવાન પાસે પાંચ લાખની માંગણી કરી હતી જેથી ફરીયાદીએ હાના-કાની કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૭, ૩૮૫ મુજબ ગુનો નોંધીને હાલમાં આરોપી મોહશીન સીકંદરભાઈ શાહમદાર જાતે ફકીરની ધરપકડ કરેલ છે






Latest News