હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જેતપરડા ગામે મજૂરોને ધમકાવનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાનને મારમાર્યો


SHARE











વાંકાનેરના જેતપરડા ગામે મજૂરોને ધમકાવનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાનને મારમાર્યો

વાંકાનેરના જેતપરડા ગામે રહેતા યુવાનની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને એક શખ્સ દ્વારા વાડી પાસેથી અવરજવર ન કરવા માટે અને ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું જેથી યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના જેતપરડા ગામે રહેતા અને ખેતીનું કામ કરતાં ઇલ્મુદીનભાઇ અબ્દુલભાઇ શેરસીયા જાતે મોમીન (૩૫)એ હાલમાં ભુપતભાઈ શામજીભાઈ નંદાસણીયા રહે જેતપરડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે જેતપરડા ગામે જાલી રોડ ઉપર પાણીના સંપ પાસે તેઓ હતા ત્યારે તેઓની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને ભુપતભાઈ દ્વારા વાડી પાસેથી અવરજવર ન કરવા માટે અને ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું જેથી ફરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે ભુપતભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ ગાળો આપીને યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અક્સમાતમાં ઇજા

મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ જી.આઇ.ડી.સી.ના ગેટ પાસે અકસ્માતના બનાવમાં કેતનભાઇ સુરેશભાઇ પ્રજાપતિ (ઉંમર ૨૦) રહે. થાન વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News