મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી કચ્છમાં માટી ભરવા જતા સર્જાયેલ વાહન અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીથી કચ્છમાં માટી ભરવા જતા સર્જાયેલ વાહન અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા રાજેન્દ્રસિંહ મોરબીથી ગાંગોદર માટી ભરવા માટે ટ્રક લઈને જતા હતા ત્યારે રસ્તામાં સુરજબારી સામખીયારી રોડ ઉપર શિકારપુર નજીક આવેલ સહયોગ હોટલની પાસે રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં તેમના ટ્રકનો વાહન અકસ્માતનો બનાવ થોડા દિવસ પહેલા સર્જાયો હતો.જેમાં ઇજાઓ થવાથી રાજેન્દ્રસિંહ જગદીશસિંહ સિંગ (ઉમર ૫૯) રહે.શોભેશ્વર રોડ મોરબી-૨ ને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સામખિયાળી નજીક બન્યો હોય ત્યાંની પોલીસને જાણ કરી હતી.જોકે સારવારમાં રહેલા રાજેન્દ્રસિંહ જગદીશસિંહનું સારવાર દરમિયાન અહિંની આયુષ હોસ્પીટલ ખાતે મોત નિપજતા તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં પોલીસે તે અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાવડી રોડ પર રહેતા ભાનુશંકરભાઈ ગણપતભાઇ રાવલ નામના ૬૩ વર્ષીય વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર નજીક રહેતા અમરશીભાઈ ભીમાભાઇ બામણીયા નામના ૫૧ વર્ષીય આધેડ વાંકાનેરના કોઠી ગામે જતા હતા ત્યારે રસ્તામાં વઘાસીયા ટોલનાકા નજીક તેઓના બાઇકને અકસ્માત સર્જાતા અમરશીભાઈ બામણીયાને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્ક વિસ્તારમાં રહેતા ઉર્વશીબેન મનીષભાઈ ઘનશ્યામભાઈ સુરેલીયા નામના ૩૮ વર્ષીય મહિલા કોઈ કારણોસર વધુ પડતી ઉંઘની દવા પી જતાં તેઓને અસર થતા અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News