મોરબી-માળીયા(મી)નાં બાવન ગામને કેનાલથી સિચાઈનું પાણી આપવાની મુખ્યમંત્રી જાહેરાત કરશે ?
મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા
SHARE
મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા
રાજકોટમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા છે ત્યારે મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો મોરબી જિલ્લામાંથી આમ આદમી પાર્ટી,આ જોડાયા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
મોરબી જિલ્લામાંથી ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી વાતો ચાલી રહી હતી તેવામાં રાજકોટની મુલાકાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા સહિત ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાંથી નિલેશભાઈ એરવાડિયા, રેખાબેન એરવાડિયા, પ્રફુલાબેન, દિનેશભાઈ કુંડારિયા, ભાણજીભાઈ ફુલતરીયા સહિતના પણ આપમાં જોડાયેલ છે તેવું આપના આગેવાનોએ જણાવ્યુ છે.









