મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી-માળીયા(મી)નાં બાવન ગામને કેનાલથી સિચાઈનું પાણી આપવાની મુખ્યમંત્રી જાહેરાત કરશે ?


SHARE











મોરબી-માળીયા(મી)નાં બાવન ગામને કેનાલથી સિચાઈનું પાણી આપવાની મુખ્યમંત્રી જાહેરાત કરશે ?

મોરબી અને માળીયા તાલુકાનાં બાવન ગામને સિચાઈનું પાણી મળી રહ્યું નથી તેની અનેક વખત રજૂઆત કરી છે જો કે, પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે વવાણિયા ગામે મુખ્યમંત્રી આવી રહ્યા છે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને વધુ એક રજૂઆત કરીને બાવન ગામોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે ત્યારે ખેડૂતોના હિતની આ જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૧૭ ના રોજ માળિયા તાલુકાના વવાણીયા ગામે ધાર્મિક કાર્યક્ર્મમાં આપ આવી રહ્યા છો ત્યારે મોરબી અને માળિયાના બાવન ગામોને સિચાઈ માટેનું પાણી મળી રહયું નથી અને આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે જો કે, હજુ સુધી ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યારે આ ગામોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૨૦ ની પેટા ચુંટણી સમયે પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે સરકાર જલ્દી યોગ્ય કરશે તેવી જાહેરાત કરી હતી જો કે, પેટા ચુંટણીમાં વિજય બનીને બ્રિજેશ મેરજા સરકારના મંત્રી બની ગયા છે જો કે, હજુ સુધી ખેડૂતોનો પ્રશ્ન ઊભો જ છે ત્યારે જો ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવામાં નહિ આવે તો આગામી ચુંટણીમાં આ મુદે લોકોની સાથે રહીને વિરોધ કરવામાં આવશે






Latest News