મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને મકાન માટે ૪.૯૦ લાખ મિત્રને આપેલા જેનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE











મોરબીમાં યુવાને મકાન માટે ૪.૯૦ લાખ મિત્રને આપેલા જેનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબીમાં યુવાને પોતાના મિત્રને મકાન લેવા માટે મદદરૂપ થવા રોકડા રૂપિયા ૪.૯૦ લાખ આપ્યા હતા જે રકમ જરૂરિયાત હોય તેને પરત માંગતા તેના મિત્રએ ચેક આપ્યો હતો જે બેંકમાં નાખતા તે ચેક પરત ફર્યો હતો જેના લીધે ભોગ બનેલા યુવાને કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કોર્ટે ડબલ રકમ નવ ટકા વ્યાજ સાથે પરત કરવા તેમજ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને જો રકમ ભરવામાં કશુર કરે તો વધુ ૯૦ દિવસની સજા કરી છે

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર રહેતા નુરૂદિન  શાહબુદ્દીનભાઈ રૈયાણી નામના યુવાને મિત્રતાના દાવે પોતાના મિત્ર રાહુલ રસિકભાઈ વાઘેલા રહે. વીસીપરા મોરબી વાળાને મકાન લેવા માટે રૂપિયા ૪.૯૦ લાખ આપ્યા હતા અને બાદમાં પોતાને જરૂર પડતાં તે રકમ તેણે પોતાના મિત્ર રાહુલ વાઘેલા પાસે પરત માંગી હતી જે રકમ માટે રાહુલભાઈ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો અને તે ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો તે બાબતે નુરુદ્દીનભાઈ રૈયાણીએ રાહુલ વાઘેલા વિરુદ્ધ કોર્ટમાં નેગોશીએબલ એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી નુરુદ્દીનભાઈના વકીલ ચેતનભાઈ સોરીયા અને એસ.કે. પરમાર દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલોને અંતે કોર્ટ દ્વારા ઉપરોક્ત કેસમાં રાહુલ વાઘેલાને તકસીરવાન ઠેરાવવામાં આવ્યો હતો અને તેના એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલી છે તેમજ કોર્ટ દ્વારા ચેકની રકમ ૪.૯૦ લાખને બદલે ડબલ રકમ એટલે કે ૯.૮૦ લાખ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે અને જો રકમ ચૂકવવામાં કસુર કરવામાં આવે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા કોર્ટે ફટકારી છે આ કેસમાં ફરિયાદી પક્ષેથી વકીલ ચેતનભાઈ સોરીયા અને એસ.કે. પરમાર રોકાયેલા હતા.






Latest News