હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ


SHARE











મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ

મોરબીના રામકૃષ્ણનગરમાં વર્ષ ૨૦૧૭ માં મિત્ર પાસે વાપરવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેને પૈસા આપવાની ના કહી હતી જેથી યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા હતા અને તેની હત્યા કરી હતી જે ગુનામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે ત્રણ આરોપીને દોષી જાહેર કર્યા છે અને તેને આજીવન કેદની સજા ફટાકરી છે જો કે, એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે

મોરબીના રામકૃષ્ણનગરમાં ખોડિયાર મંદિર પાસે તા ૨૧/૫/૧૭ ના રોજ કાનજી ઉર્ફે કાનો વાસુદેવભાઈ રાવળ નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારારામદેવ રાજુભાઇ ચાવડામયુરસિંહ નાનુંભા જાડેજાસલમાનભાઈ દાદુભાઈ દાવલિયાની ધરપકડ કરી હતી અને આરોપીઓ મૃતક યુવાન પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી જો કે, તેને પૈસા આપવાની ના પાડતા તેને છરીના ઘા ઝીકિને તેની હત્યા કરી નાખવામાં આવી હતી આ કેસ મોરબીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી ગયો હતો અને સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કરી દલીલ અને ૨૮ દસ્તાવેજી તેમજ ૨૬ મૌખિક પુરાવાઑને ધ્યાને લઈને કોર્ટે હત્યા કેસમાં સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારારામદેવ રાજુભાઇ ચાવડામયુરસિંહ નાનુંભા જાડેજાને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટાકરી છે. તેમજ આરોપીઓને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, આરોપી સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાને નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News