મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ નજીક માનવ બૌદ્ધ વિહાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE











વાંકાનેરના ભલગામ નજીક માનવ બૌદ્ધ વિહાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

વાકાંનેર તાલુકાના ભલગામ નજીક ચોટીલા-રાજકોટ હાઇવે૬૬ કે.વી. પાવર હાઉસની બાજુમાં આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ગત તા. ૧૨ એપ્રિલના યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું કેરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ અનેક યોજનાઓ થકી ગરીબોવંચિતો અને છેવાડાના માનવીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. મંત્રીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા પણ આ તકે મંત્રીએ સૌ આગેવાનોને આગળ આવવા જણાવ્યું હતું. 

આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તમામ પ્રકારની મદદ અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. શિક્ષણ સંકુલના નિર્માણ માટે થઇ રહેલા આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે એક શામ બાબા ભીમ કે નામ કાર્યક્રમ અંતર્ગત જાણીતા ભીમ સાહિત્યકાર અને તેમની ટીમ દ્વારા ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન માનવ બૌદ્ધ વિહારચોટીલા તથા સમ્યક્ સિનિયર સિટીઝન ક્લબઆંબાવાડીઅમદાવાદ અને બાબા સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિ બાજ એન્જીનીયર્સ એસોસિએશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાભંતેજી સારિપુત્રઅનુસુચિત જાતિ મોરચોના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમન વાજાઅગ્રણી સી.એન. અંબાલીયા,, માનવ બૌદ્ધ વિહાર પ્રમુખ અજીતભાઇ બેડવામુકેશભાઇ મકવાણાટી.ડી. પટેલરાજુભાઇ અઘેરાકેસરીદેવસિંહજી ઝાલા ઉપરાંત વાકાંનેર પ્રાંત અધિકારીશ્રી એચ.જી. શેરસીયાજિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અતુલભાઇ છાસીયાજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયાસમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)  એલ.વી. લાવડીયાજિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News