હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ નજીક માનવ બૌદ્ધ વિહાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE











વાંકાનેરના ભલગામ નજીક માનવ બૌદ્ધ વિહાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

વાકાંનેર તાલુકાના ભલગામ નજીક ચોટીલા-રાજકોટ હાઇવે૬૬ કે.વી. પાવર હાઉસની બાજુમાં આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ગત તા. ૧૨ એપ્રિલના યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું કેરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ અનેક યોજનાઓ થકી ગરીબોવંચિતો અને છેવાડાના માનવીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. મંત્રીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા પણ આ તકે મંત્રીએ સૌ આગેવાનોને આગળ આવવા જણાવ્યું હતું. 

આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તમામ પ્રકારની મદદ અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. શિક્ષણ સંકુલના નિર્માણ માટે થઇ રહેલા આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે એક શામ બાબા ભીમ કે નામ કાર્યક્રમ અંતર્ગત જાણીતા ભીમ સાહિત્યકાર અને તેમની ટીમ દ્વારા ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન માનવ બૌદ્ધ વિહારચોટીલા તથા સમ્યક્ સિનિયર સિટીઝન ક્લબઆંબાવાડીઅમદાવાદ અને બાબા સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિ બાજ એન્જીનીયર્સ એસોસિએશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાભંતેજી સારિપુત્રઅનુસુચિત જાતિ મોરચોના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમન વાજાઅગ્રણી સી.એન. અંબાલીયા,, માનવ બૌદ્ધ વિહાર પ્રમુખ અજીતભાઇ બેડવામુકેશભાઇ મકવાણાટી.ડી. પટેલરાજુભાઇ અઘેરાકેસરીદેવસિંહજી ઝાલા ઉપરાંત વાકાંનેર પ્રાંત અધિકારીશ્રી એચ.જી. શેરસીયાજિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અતુલભાઇ છાસીયાજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયાસમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)  એલ.વી. લાવડીયાજિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News