હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો


SHARE











વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો

મોરબી જીલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના આયુષ મેડિકલ ઓફિસરોએ પોતાની  સેવાઓ આપી હતી તેમાં વૈદ્ય મિલનકુમાર સોલંકી, વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય દિલીપ વિઠ્ઠલપરા, વૈદ્ય અલ્તાફ શેરસિયા, વૈદ્ય વીરેન ઢેઢી, ડો. જે પી ઠાકર, ડો. વિજય નાંદરિયા તેમજ નીલમ બેને આ કેમ્પમાં સેવા આપી હતી અને કેમ્પનો ૨૫૬ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૧૬૦ દર્દીઓએ આયુર્વેદિક તેમજ ૯૬ દર્દીઓએ હોમિયોપેથી સારવાર લીધી હતી આ ઉપરાંત આયુર્વેદની દુઃખાવા માટેની વિશેષ અગ્નિકર્મ સારવારનો લાભ ૫૩ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં આવનાર દર્દીઓને યોગ માર્ગદર્શન, સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન, ઉકાળા વિતરણ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી અને આર્સેનિક આલ્બમ ૩૦ નું વિતરણ કરવામાં આવ્યું હતુ અને સમગ્ર કેમ્પમાં વાંકાનેર ખાતે આવેલ ઉમેદચંદભાઈ મહેતા પુસ્તકાલયના ટ્રસ્ટીઓનો ખૂબ સહકાર મળ્યો હતો






Latest News