મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાં દાદીને ગાળો આપતા ભાઈને રોકવા ગયેલા યુવાન ઉપર સગાભાઈએ કર્યો છરી વડે હુમલો..!


SHARE













હળવદમાં દાદીને ગાળો આપતા ભાઈને રોકવા ગયેલા યુવાન ઉપર સગાભાઈએ કર્યો છરી વડે હુમલો..!

હળવદ શહેરમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહેતો યુવાન તેના દાદીને ગાળો આપતો હતો માટે તે યુવાનના નાના ભાઇએ તેને દાદીને ગાળો આપવાની ના કહી હતી ત્યારે યુવાને તેની પાસે રહેલી છરી વડે તેના સગા નાના ભાઈને મોઢા, નાક અને હોઠ ઉપર ઈજા કરી હતી અને વચ્ચે પડેલા દાદાને પણ ધક્કો મારીને પાડી દીધા હતા જેથી હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તેના સગાભાઇની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર (ઉંમર ૧૭) એ હાલમાં તેના સગાભાઇ અશ્વિનભાઈ હસમુખભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ અશ્વિનભાઈ તેની દાદીને ગાળો આપતો હતો ત્યારે તેને ગાળો આપવાની ના કહી હતી જે બાબતનો ખાર રાખીને અશ્વિનભાઈને કલ્પેશને ગાળો આપી હતી અને બાદમાં અશ્વિનભાઈએ તેની પાસે રહેલ છરી વડે કલ્પેશને મોઢા, નાક અને હોઠ ઉપર ઇજાઓ કરી હતી તેમજ કલ્પેશને બચાવવા માટે વચ્ચે પડેલા તેના દાદા ગાંડુભાઈને ધક્કો મારીને પડી દીધા હતા જેથી હાલમાં સારવાર લીધા બાદ કલ્પેશભાઈ પરમારે તેના સગાભાઇ અશ્વિનભાઈ હસમુખભાઈ પરમારની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતમાં મોત

મોરબીના મહેન્દ્રનગર ગામે જુના ગામ તરફ જવાના રસ્તા ઉપર રામવાડી પાસેથી કાંતિભાઈ દેવજીભાઈ ગરાળા જાતે પટેલ (ઉમર ૬૨) રહે.મંગલ સોસાયટી મહેન્દ્રનગર ગામ વાળા થોડા દિવસો પહેલા પસાર થઇ રહ્યા હતા ત્યારે તેની સાઇકલ આડે કુતરુ ઊતર્યું હતું જેથી કાંતિભાઈ રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ત્યારે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જેથી હાલમાં આ બનાવમાં મૃતક કાંતિભાઈના દિકરા હાર્દિકભાઈ કાંતિભાઈ ગરાળ (ઉંમર ૩૩) રહે. ધર્મમંગલ સોસાયટી મહેન્દ્રનગર વાળાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News