મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE











મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક યુનિટમાં મજૂરીકામ કરતાં અને મુળ થાનના પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનનાર સગીરાના પિતાએ હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ થાન પંથકના વતની અને હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કારખાનામાં રહીને મજૂરીકામ કરતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે શૈલેષ દિનેશ સોલંકી હાલ રહે.માંડલ તા.જી.મોરબી મૂળ રહે.ચોબારી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો અપહરણ કરી ગયેલો હોય ભોગ બનેલ સગીરાના પિતાએ હાલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીઆઇ પી.એ.દેકાવાડીયાએ કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમ ૧૮ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ચારને ઈજા

મોરબીના સામાકાંઠે તાલુકા પોલીસ સ્ટેશન નજીક બોલેરોની પાછળ ઓટોરિક્ષા અથડાઈ હતી જેથી કરીને ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક ઓટોરિક્ષા બોલેરોની પાછળ અથડાઈ હતી જેથી કરીને ઓટોરિક્ષા ચાલક ઈરફાન મન્સૂર હિંગોરજા (૩૦) રહે.કુબેરધાર વિસ્તાર મોરબી-૨ તેમજ પેસેન્જર તરીકે બેઠેલા ઈર્શાદ યુસુફ મુસ્લિમ (૩૧) રહે.પીપળી રોડ તેમજ ક્રિષ્નાકુમાર રાવત (૪૧) અને ઇન્દ્રાવતી ક્રિષ્નાકુમાર રાવત (૪૧) રહે.એબીસી સીરામીક પીપળી રોડ વાળાઓને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જે અંગે જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના રેહાન આશીફ ખલીફા નામનો ૧૫ વર્ષીય બાળક શાળાએથી પરત ઘરે જતો હતો ત્યારે આસ્વાદ પાનની પાસે તે સાયકલમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News