મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની આ ઘટના !: પત્રકારોને માહિતી આપવામાં માર્યા લોચા ?


SHARE











પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની આ ઘટના !

સામાન્ય રીતે મોરબી નગરપાલિકામાં જ્યારે પણ સામાન્ય સભા કે બજેટ બોર્ડ હોય ત્યારે પાલિકાના અધિકારી અને કર્મચારી તેમજ સભ્યો સભાખંડમાં આવી ગયા હોય છે ત્યાર પછી પાલિકાના પ્રમુખ બેઠકમાં આવતા હોય છે અને તુરત જ બોર્ડની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે જો કે, આ બોર્ડમાં અત્યાર સુધીમાં ન જોવા મળ્યું હોય તેવું જોવા મળ્યું હતું અને ઇતિહાસમાં પહેલી વખત પાલિકાના પ્રમુખ બોર્ડના સમયે એટ્લે કે ચાર વાગ્યે હાજર થઇ ગયા હતા જો કે, બોર્ડ બેઠકમાં પાલિકાના ઉપપ્રમુખ, ચેરમેનો અને પાલિકાના ચીફ ઓફિસર હાજર ન હતા જેથી કરીને બજેટ બેઠક ૧૫ મિનિટ મોડી ચાલુ કરવામાં આવી હતી

પત્રકારોને માહિતી આપવામાં માર્યા લોચા ?

આ બજેટ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો દ્વારા જ્યારે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ પાસેથી બજેટને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ પાલિકાનું જે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું તે બજેટનું કદ કેટલું છે તેની માહિતી તેમની પાસે ન હોય તેવો ઘાટ સર્જાયો હતો અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ૩૬૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જોકે વાસ્તવિક રીતે પાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું ૩૫૭.૪૧ કરોડનું ૫.૭૦ લાખની પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે પાલિકાના પદાધિકારીઓને જ આંકડાકીય માહિતી ન હોય તો અન્ય સભ્યો પાસે શું આવક-જાવક અને ખર્ચની માહિતી હશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે






Latest News