હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાંથી કામ શોધવા નીકળ્યા બાદ ગુમ થયેલ પરિણીતા બે સંતાનો સાથે મળી આવી


SHARE











મોરબીના સિરામિક કારખાનામાંથી કામ શોધવા નીકળ્યા બાદ ગુમ થયેલ પરિણીતા બે સંતાનો સાથે મળી આવી

રફાળેશ્વર ગામ પાસે આવેલ સિરામિક કારખાનાની અંદર રહીને મજૂરીકામ કરતા યુવાનની પત્ની તેના બે સંતાનો સાથે ગુમ થઈ ગયેલ હતી જે પરિણીતા અને બે સંતાનો પોણા ચાર વર્ષે ઉજજૈનથી મળી આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના મેનાખેડી ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ વિટા સિરામિક ખાતે રહીને મજૂરીકામ કરતાં દયારામભાઈ મહેતાબજી માલવીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતુ કે ગત તા. ૨૬/૭/૨૦૧૮ ના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં તેની પત્ની લાડકુવરબાઇ દયારામભાઈ માલવિયા મોરબી લગધીરપુર રોડ ઉપર આવેલ રિકોવા સિરામિક ખાતેથી બાજુના કારખાનામાં મજૂરી કામની તપાસ કરવા માટે જાઉં છું તેવું કહીને નીકળી હતી અને ત્યારે તેની દીકરી રીંકા (૧૦) અને દીકરો મોનુ (૮) ને સાથે લઈને ગઈ હતી ત્યારબાદ તેની પત્ની લાડકુવરબા અને બંને સંતાનો ગુમ થઈ ગયેલ હતી જેને શોધવા માટે કવાયત કરવામાં આવતી હતી દરમિયાન ઉજજૈન ખાતે રહેતા રામબાબુ બાબુસિંગ સાથે તે છેલ્લાં પોણાચાર વર્ષથી રહેતી હોય ત્યાંથી મળી આવી હતી અને પરિણીતા તેમજ બંને સંતાનો પણ ત્યાંથી મળી આવ્યા હોય હાલમાં તે આ અંગેની મોરબી તાલુકા પોલીસ ચોપડે નોંધ કરીને આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવી રહી છે

યુવાન સારવારમાં

મોરબીના ઢુવા પાસે આવેલ સિરામિક યુનિટમાં માથાના ભાગે લોખંડનો પાઈપ પડતાં નવલકિશોર નરેન્દ્રશંકર કશ્યપ નામના ૨૯ વર્ષીય યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ જીપેન સિરામિક નજીક ફીનાઇલ પી જતા દેવાંગ જગદીશભાઈ ઝાલા નામના ૨૨ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News