મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કચરો નાંખવા મુદ્દે વૃદ્ધને માર મરનારા બે શખ્સની પોલીસે કરી ધરપકડ


SHARE











મોરબીમાં કચરો નાંખવા મુદ્દે વૃદ્ધને માર મરનારા બે શખ્સની પોલીસે કરી ધરપકડ

મોરબીના ૨૫ વારિયા વિસ્તારની અંદર રહેતા ભાડુઆતે કચરો નાખવા બાબતે પાડોશી દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી માટે મકાનમાલિક તેને સમજાવવા ગયા હતા ત્યારે તેની સાથે પણ મારામારી કરવામાં આવતા મકાનમાલિક મહિલાના વૃધ્ધ પિતા તેઓને છૂટા પાડવા માટે અને સમજાવવા માટે ગયા હતા ત્યારે તેને ઉશ્કેરાયેલ મહિલાના પતિ અને તેના મિત્રએ માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ૨૫ વારિયામાં રહેતા અસ્લમશા કાસમશા શાહમદાર (૭૫) એ જેતે સમયે કાશ્મીરાબેનના પતિ અને ઈલિયાસભાઈ રહે.બંને મૂળ અમદાવાદ હાલ રહે.૨૫ વારિયા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓની દીકરીના ઘરમાં ભાડે રહેતા ભાડુઆત મહિલાએ કચરો નાખ્યો હતો જે બાબતે કાશ્મીરાબેને તેની સાથે બોલાચાલી કરી હતી જેથી કરીને અસ્લમશાની દીકરી કાશ્મીરાબેનને સમજાવવા માટે ગયા હતા ત્યારે કાશ્મીરાબેને તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો જેથી અસ્લમશા શાહમદાર ત્યાં તેઓને છોડાવવા માટે ગયા હતા અને તે દરમ્યાન કાશ્મીરનાં પતિ અને તેના મિત્ર ઈલિયાસભાઈએ તેમની સાથે માથાકૂટ કરીને બોલાચાલી કરી હતી અને વૃદ્ધને દાઢી અને માથાના વાળ પકડી માર માર્યો હતો તેમજ લોખંડના પાઇપ વડે એક ઘા શરીર ઉપર ઝીકયો હતો જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર લઈ જઇને બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ઇમ્તિયાઝ આમદભાઈ કુરેશી (૨૭) રહે.૨૫ વરિયા કેનાલ રોડ મોરબી અને ઇલિયાસ આમદભાઈ સોઢા (૩૪) રહે.નસીતપર(ટંકારા) વાળાની ધરપકડ કરેલ છે.

પત્નીએ માર મારતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા મોહનભાઈ કેશવભાઈ કાંજીયા નામના ૪૫ વર્ષીય યુવાનને મારમારીમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો અને બનાવની જાણ થતાં બી ડીવીજનના બીટ જમાદાર વશરામભાઇ મેતાએ તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે પોતે કંઈ કામ ધંધો કરતો ન હોય અને ઘરે જઈને ખાવાનું માગતાં કંઈ કામ ધંધો કરતા નથી ખાવાનું કયાંથી બનાવુ તેમ કહીને પત્નીએ બોલાચાલી કરી હતી અને તે દરમ્યાન પત્નીએ સામાન્ય ઢીકાપાટુનો માર મારતા મોહનભાઇને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપરના સોખડા ગામે ઝેરી સાપ કરડી જતા સુનીતાબેન સમસુભાઈ મોહનીયા નામની ૧૬ વર્ષીય યુવતીને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી.






Latest News