હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું


SHARE











મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું

મહાશિવરાત્રીનાં પાવનપર્વ  નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સરદારબાગ પાસે પ્રભુ મિલન હોલ મોરબી મુકામે સવારે છ વાગ્યે સાંસદ મોહનભાઈ કુંડારિયા, આદરણીય બ્ર.કુ.ચંદ્રિકાબેન તથા અન્ય સમર્પિત બહેનોએ હાજરી આપી હતી તથા પર્વ નિમિત્તે પરમપિતા પરમાત્મા શિવબાબાનો ઝંડો લહેરાવામાં આવ્યો હતો.ઝંડો લહેરાવ્યા બાદ વિશ્વમાં સુખ, શાંતિ અને સદભાવના જળવાઈ રહે અને એક સુખદ સંસારની સ્થાપના થાય તેવા હેતુથી હાજર રહેલા આશરે ૭૦૦ જેટલા ભાઈ-બહેનો દ્રારા પ્રતિજ્ઞા લેવામાં આવેલ અને ત્યારબાદ પરમપિતા પરમાત્મા શિવ દ્વારા અપાયેલ જ્ઞાન તથા રાજયોગ શીખવાનો લાભ મોરબીની ધર્મપ્રેમી જનતાએ લીધોતો.આ નિમિત્તે રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાબહેનએ શિવરાત્રીનું મહત્વ સમજાવીને જણાવેલ કે પરમપિતા પરમાત્મા શિવ આ ધરા ઉપર આવી સતયુગી નવી દુનિયાની સ્થાપનાનું કાર્ય આપણા દ્વારા કરાવી રહ્યા છે.આ અદભૂત પ્રવચનનો લાભ મોરબીની જનતાએ મેળવ્યો હતો.






Latest News