માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું


SHARE











મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું

મહાશિવરાત્રીનાં પાવનપર્વ  નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સરદારબાગ પાસે પ્રભુ મિલન હોલ મોરબી મુકામે સવારે છ વાગ્યે સાંસદ મોહનભાઈ કુંડારિયા, આદરણીય બ્ર.કુ.ચંદ્રિકાબેન તથા અન્ય સમર્પિત બહેનોએ હાજરી આપી હતી તથા પર્વ નિમિત્તે પરમપિતા પરમાત્મા શિવબાબાનો ઝંડો લહેરાવામાં આવ્યો હતો.ઝંડો લહેરાવ્યા બાદ વિશ્વમાં સુખ, શાંતિ અને સદભાવના જળવાઈ રહે અને એક સુખદ સંસારની સ્થાપના થાય તેવા હેતુથી હાજર રહેલા આશરે ૭૦૦ જેટલા ભાઈ-બહેનો દ્રારા પ્રતિજ્ઞા લેવામાં આવેલ અને ત્યારબાદ પરમપિતા પરમાત્મા શિવ દ્વારા અપાયેલ જ્ઞાન તથા રાજયોગ શીખવાનો લાભ મોરબીની ધર્મપ્રેમી જનતાએ લીધોતો.આ નિમિત્તે રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાબહેનએ શિવરાત્રીનું મહત્વ સમજાવીને જણાવેલ કે પરમપિતા પરમાત્મા શિવ આ ધરા ઉપર આવી સતયુગી નવી દુનિયાની સ્થાપનાનું કાર્ય આપણા દ્વારા કરાવી રહ્યા છે.આ અદભૂત પ્રવચનનો લાભ મોરબીની જનતાએ મેળવ્યો હતો.




Latest News