મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હસનપર પાસે નાના ભાઈના દીકરાને કેમ આપતા નથી કહીને આધેડને માર માર્યો


SHARE





વાંકાનેરમાં હસનપર પાસે નાના ભાઈના દીકરાને કેમ આપતા નથી કહીને આધેડને માર માર્યો

વાંકાનેર રેલવે સ્ટેશન પાસે આવેલ હસનપર ગામ નજીક નાના ભાઈના દીકરાને કેમ આપતા નથી તેવું કહીને આધેડને માર માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના હસનપર ગામે રહેતા હીરાભાઈ માધાભાઈ સરૈયા જાતે ભરવાડ (ઉંમર ૫૦) એ હસનપર ગામે રહેતા સમીરભાઇ સતાભાઇ ભરવાડની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી સમીરભાઈએ તેના નાના ભાઈના છોકરાને કેમ આપતા નથી એવું કહીને હિરાભાઇની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારે આરોપીએ હાથમાં પહેરેલું કડુ ફરિયાદી હીરાભાઈને માથામાં માર્યું હતું જેથી કરીને તેઓને ઈજા થઈ હતી અને હીરાભાઈને આરોપી સમીરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલ હીરાભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની અંકુર સોસાયટીમાં કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતા લલીતાબેન શાંતિભાઈ ખગોલા નામના ૬૮ વર્ષીય મહિલા જેતપર ગામ નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઇકમાંથી પડી જતા ઈજાગ્રસ્ત થયેલા લલીતાબેનને સારવારમાં મોરબી લવાયા હતા.જ્યારે મોરબીના ખાખરાળા ગામે રહેતા ભગવતીબેન મનસુખભાઈ સદાતિયા નામના ૫૦ વર્ષીય મહિલા વાડીએથી પરત ઘરે જતા સમયે ગામના મેલડી માતાના મંદિર પાસે ટ્રેક્ટર માંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત ભગવતીબેનને સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચીમાંડલ પાસે આવેલ સિરામિક યુનિટ પાસે રહીને રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરતા નરેન્દ્રસિંહ રાજપુત નામનો ૩૫ વર્ષીય યુવાન રિક્ષા લઈને જતો હતો ત્યારે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે ઘુંટુ ગામ પાસે આવેલ નાગબાઈ માતાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ઘુંટુના રહેવાસી કાસમ આમીન ફકીર (૩૫) અને ધ્રાંગધ્રાના રહેવાસી હુસેનાબેન તૌફીકભાઈ રફાઇ (૨૫) નામના બે લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ એ ખસેડાયા હતા.






Latest News