મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું


SHARE





મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું

મુળ મોરબીના નિચી માંડલ ગામના અને હાલ મોરબી રવાપર રોડ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ કુંડારીયા નામના 45 વર્ષના યુવાનને કેન્સરની બીમારી હોય તેનું નિચી માંડલ મુકામે બીમારી સબબ મોત થયુ હતું.

જયારે માળીયા હાઈવે ટીંબડી ગામે ઓએસીસ સિરામીક નજીક રોડ ક્રોસ કરતા સમયે ભારે વાહનના ચાલકે હડફેટે લેતા દેવસંગ બહોરા (55) રહે. અંજાર કચ્છને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી.

વાહન અકસ્માત
માળીયા(મિં)ના મોટા દહીંસરા ગામે રહેતા જયેશ ચંદુભાઈ બોરીચા (45)ને પીપળીયા ચોકડી નજીક ટ્રક સાથે અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે ઘુંટુ પાસેની રામકો સોસાયટીમાં રહેતા વનિતાબેન બાબુભાઈ મોટવાડીયા (23) એ કોઈ કારણસર દવા પી લેતા શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એચ.આર.જાડેજા કારણ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

સાપ કરડી ગયો
ટંકારાના મિતાણા ગામે વાડી વિસ્તારમાં કામ દરમ્યાન સાપ કરડી જતા રાહુલ જલારસિંગ અજનાર (28)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
 જયારે વાંકાનેરના રાજાવડલા ગામે ઘરે સાપ કરડી જતા જીજ્ઞેશ વિજયભાઈ સિસોદીયા નામના આઠ વર્ષના બાળકને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો તેમજ હળવદની સરા ચોકડી પાસે હોટલ નજીક પત્થર-પાઈપ વડે માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત થયેલા ખીમાભાઈ જગાભાઈ સોલંકી (35)ને અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં
ટંકારાના હડમતીયા ગામે વાહનમાં બ્રેક લાગતા ઈજા પામેલા લાભુબેન કાંતિભાઈ સોલંકી (60) નામના વૃદ્ધાને 108 વડે અહીંની સિવિલે સારવાર માટે લવાયા હતા. મોરબી-2 નકકરબાગ પાસે ભડીયાદ રોડે થયેલ મારામારીમાં ઈજા પામેલા પ્રકાશ નારણભાઈ નાગદેવ (35) રહે.વાઘપરા સદભાવના હોસ્પીટલવાળી શેરીને ઈજાઓ થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.

મારામારી
નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે થયેલ મારામારીમાં ઈજા પામેલા કાળુભાઈ શિવાભાઈ (55)ને અત્રે સિવિલે સારવારમાં લવાયા હતા અને મોરબી-2 ગુ.હા.બોર્ડ ખાતે રહેતા ફરઝાનાબેન સિકંદરભાઈ અબ્બાસી (30)ને મોડીરાત્રીના કોઈ જીવજંતુ કરડી જતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામા આવ્યા હતા






Latest News