મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી : આંબાભગત જગ્યા દ્વારા ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ


SHARE













મોરબી : આંબાભગત જગ્યા દ્વારા ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ

ગરવા ગિરનારની ગોદમાં યોજાયેલ કોરોના કાળ પછીના પહેલા શિવરાત્રીના મેળામાં મોરબી જિલ્લાની સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પની સુવાસ ફેલાવામાં આવી રહી છે. મિનીકુંભથી ખ્યાતનામ અને અનેક અખાડાના મહંત અને સાધુઓ જયાં વાસ કરે છે અને જેનો મહિમા અપરંપાર છે એવી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે રવાડીની ઝાંખી કરવા શ્રદ્ધાળુઓ દ્વારા આગોતરા જગ્યા રોકી લે છે.ત્યારે પાટીદાર સમાજના સંત આંબાભગતની જુનાગઢ ખાતે જાણીતી જગ્યા આવેલી છે જ્યાં હજારો ભાવિકો ઉમટી પડ્યા છે.અહી રહેવા-જમવા સહિતની સુવિધાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ધોડાસરા, ઉપપ્રમુખ શાંતીલાલ સવસાણી, મંત્રી હરીભાઇ છત્રોલા, કાંતીલાલ દલસાણીયા સહિતના સભ્યો અને ભાવિક ભાઈઓ દ્વારા સેવાકાર્યની ધુણી ધખાવવામાં આવેલ છે.






Latest News