મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા આધેડનું મોત


SHARE











માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા આધેડનું મોત

માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેને જા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસેથી જામનગર હાઇવે તરફ જતા રોડ ઉપર કાંતિભાઈ દેવજીભાઈ મુછડીયા (ઉંમર ૫૦) જતાં હતા ત્યારે તેઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે કાંતિભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં માળીયા પોલીસ દ્વારા મૃતકના કાકા સોઢુંભાઈ ભીમાભાઇ મુછડિયા (ઉમર ૫૫) રહે પીપળીયા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ સીરામીક પાસેથી પસાર થતી રિક્ષાને પાછળથી અજાણ્યા ટ્રક ચાલકે નીચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપર હડફેટે લીધી હતી ત્યારે આ રીક્ષામાં બેઠેલ પેસેન્જર નરેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત કરીને ટ્રક ચાલક પોતાની ટ્રક લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને અકસ્માતના બનાવમાં ઝાલાભાઈ ચંદુભાઇ રાઠોડ (ઉમર ૪૩) રહે. ગાયત્રીનગર સોસાયટી હનુમાનજી મંદિરની સામે જૂની સમર્પણ હોસ્પિટલ પાછળ મોરબી વાળાએ અજાણ્યા ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે જરૂરી છે






Latest News