મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી- સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરાશે


SHARE





મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા કાલે આઝાદ રેલીનું આયોજન

 મોરબીમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે તા.૨૭ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીનો રૂટ આઝાદ પાર્ક એટલે કે કર્તવ્ય જીવદયા કેન્દ્રથી રેલી શરૂ થશે જે રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા બાદ સરદાર બાગની સામે પૂર્ણ થશે. આ રેલીમાં કાર, બાઇક, સાયકલ લઈને નગરજનો પણ જોડાઈ શકે છે

પ્રતિમાનું અનાવરણ 

 ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે બે વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા અને અમુક દેશ વિરોધી એકલદોકલ વ્યક્તિઓએ કામ વારંવાર રોક્યું હતું પણ અંતે સત્યનો વિજય થયો અને પ્રતિમાની સ્થાપના થઇ રહી છે અને આ પ્રતિમાનું અનાવરણ સરદાર બાગની સામે શનાળા રોડ ઉપર ૨૭/૨/ (રવિવાર) ના રોજ સવારે ૧૧ વાગે કરવામાં આવશે

 






Latest News