મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE







વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી તાલુકા પોલીસે વડોદરા પોલીસની સાથે રહીને તપાસ કરતાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનેલી સગીરાને આરોપી સાથે મોરબી તાલુકાના પીપળીયા ગામ પાસેથી પકડી પાડવામાં સફળતા મળી હતી.

જાણવા મળતી વિગતો મુજબ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કલમ ૩૬૩,૩૬૬ (અપહરણ) ના ગુનામાં ભોગ બનેલી સગીરા અને આરોપી અજય રતિલાલ વસાવા રહે.પાણીગેટ બાવસાવાળું ટેકરા વડોદરા બંને મોરબી તાલુકાના પીપળી ગામ નજીક હોવાની બાતમીને આધારે વડોદરા પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનિક પોલીસ તરીકે મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ કરતાં મોરબીના પીપળી ગામેથી અપહરણનો ભોગ બનેલી સગીરા અને આરોપી અજય રતિલાલ વસાવા રહે.પાણીગેટ વડોદરા મળી આવતાં બંનેને તપાસના કામે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના ગોપાલનગર વિસ્તારમાં રહેતા નિલેશ કાંતિલાલ પુજારા નામના ૪૮ વર્ષીય યુવાનને રાજકોટના ઢેબર રોડ ઉપર મહેતા પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત નિલેશભાઈ પૂજારાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતાં ગંગારામભાઈ મેરૂભાઈ કોળી નામના ૬૧ વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને વજેપર મેઇન રોડ ઉપરથી જતા હતા ત્યારે અચાનક કુતરૂ આડુ ઉતરતાં સાયકલમાંથી પડી જતા ગંગારામભાઈને સારવાર માટે લઈ જવાયા હતા.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીના ખાણ ખનીજ સુપરવાઇઝર જી.કે.ચંદારાણા તથા સ્ટાફે ગત મોડીરાત્રીના વાહન નંબર આરજે ૩૯ જીએ ૬૭૪૭ તથા વાહનના ડ્રાઇવર પ્રેમસિંહ રઘુવીરસિંહ રાઠોડ રહે.અનેસરીયા તા.લાડનો જી.નાગોર રાજસ્થાનને અટકાવ્યા હતા અને તેઓને પાસેથી ખનીજ પરીવહનના કાગળો માંગ્યા હતા જે ન હોય અને રોયલ્ટી ભર્યા વગર ખનીજ પરિવહન કરવામાં આવતું હોય દંડ વસૂલવા માટે પ્રેમસિંહ રાઠોડને પકડીને વાહનને જપ્ત કરીને દંડ વસૂલવા માટે વાહન બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.






Latest News