હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે યુવતી અને લક્ષ્મીનગર ગામે મહિલાએ દવા પી લેતા સારવારમાં


SHARE











મોરબીના રંગપર ગામે યુવતી અને લક્ષ્મીનગર ગામે મહિલાએ દવા પી લેતા સારવારમાં

મોરબીના રંગપર (બેલા) ગામ પાસે આવેલ કારખાનામાં રહેતી અને મૂળ સુરેન્દ્રનગરની યુવતીએ કોઈ ફિનાઈલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા મહિલાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ રંગપર (બેલા) ગામે આવેલ વોટેરો સેનેટરી નામના કારખાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ચોટીલામાં શાસ્ત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં રહેતા પરિવારની વિશાખાબેન કિશોરભાઈ રામજીભાઈ ચૌહાણ નામની ૧૯ વર્ષીય યુવતીએ તેના કવાટરમાં ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ તપાસ કરતાં ખૂલ્યું હતું કે જમવાનું મોડુ બનાવ્યું હોય તે બાબતે તેના ભાઈએ સામાન્ય ઠપકો આપ્યો હતો તે વાતનું મનમાં લાગી આવતા વિશાખાબેન ચૌહાણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..! જ્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રમેશભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતાં લક્ષ્મીબેન કનુભાઈ નાઇ નામની ૨૨ વર્ષીય વિધવા મહિલાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ પ્રાથમિક તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

ગાંધીધામ (કચ્છ)ના રહેવાસી ગીરીશભાઈ પ્રધાનભાઈ લાલચંદન નામના ૫૪ વર્ષીય આધેડને મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલે સારવાર માટે લવાયા હતા જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારાના મિતાણા ડેમ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલ અકસ્માત બનાવમાં ગત મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ઇજાઓ થઇ હોય સાગર ચીનુભાઇ મુળીયા (૨૩) રહે.કોટડાનાયાણી તાલુકો વાંકાનેર જીલ્લો મોરબીને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથી પીરની દરગાહ પાસે રહેતા સલીમભાઈ કાસમભાઈ કંડીયા (૫૫) અને સીફટેન સલીમભાઈ કંડીયા (૨૨) ને ત્યાં જ રહેતા રિઝવાન નામના વ્યક્તિએ માર મારતા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News