મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો


SHARE











વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો

વાંકાનેર શહેરમાં દરગાહ દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે બાઇક લઇને ગયેલા યુવાને પોતાની બાઈક ત્યાં પાર્ક કર્યું હતું જેને લઈ લેવા માટે એક શખ્સે તેને કહ્યું હતું ત્યારે યુવાનને દર્શન કરીને તરત જ નીકળી જાઉં છે તેવું કહેતા તે આરોપીને સારું લાગ્યું હતું માટે તેને ગાળો આપીને માથામાં લાકડી ફટકારી હતી જેથી યુવાનને માથામાં સાત ટાંકા આવ્યા હતા અને યુવાનોને સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની એસએમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં દરબાર ગઢ અપ્સરા શેરીમાં રહેતા ઘનશ્યામભાઈ કનૈયાલાલ દંગી જાતે કંસારા (ઉંમર ૪૫) ત્યાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેઓએ હનુમાનજી મંદિર પાસે પોતાનું બાઇક શેરીમાં પાર્ક કર્યું હતું જે બાઇકને લઈ લેવા માટે થઈને ત્યાં દરબારગઢ પાસે રહેતા અનિરુદ્ધસિંહ ઉર્ફે લોલો ગંભીરસિંહ ઝાલાએ કહ્યું હતું અને ત્યારે ઘનશ્યામભાઈએ દર્શન કરીને આવે એટલે તરત નીકળી જશે તેવું કહેતા અનિરુદ્ધસિંહ ઝાલાને સારું નહીં લાગતા તેણે ઘનશ્યામભાઈને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલી લાકડી ઘનશ્યામભાઈને માથામાં કપાળ ઉપર ફટકારી હતી જેથી ઘનશ્યામભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ટાંકા આવ્યા હતા માટે ઘનશ્યામભાઈસારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News