મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત


SHARE











વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત

વાંકાનેર તાલુકાની હદમાં રાતાવિરડા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનનો પાંચ વર્ષનો દીકરો રમતા રમતા ઓરડીની બાજુમાં આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ બાળકના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની જાણ વાંકાનેર તરલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા રાતાવીરા રોડ ઉપર સ્પીનોરા સિરામિક નામનું કારખાનું આવેલું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા બાપુ જૈના જાતે ઠાકોરનો પાંચ વર્ષનો દીકરો સાહિલ જૈના તેઓની ઓરડીની બાજુના ભાગમાં રમતો હતો ત્યારે રમતા રમતા વેસ્ટ પાણીની કુંડી તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે સાહિલ જૈનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ બાબતે જવાબદારો સામે ગુના નોધાય તો જ આવા ગોજરા બનાવો બનતા અટકસે.






Latest News