મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી PSI આર.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા


SHARE











મોરબી જિલ્લામાંથી PSI આર.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) થોડા સમય પહેલા રાજ્યમાં પીએસઆઇની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો જેમાં મોરબીના એક પી.એસ.આઈ.ની પણ બદલી કરવામાં આવી હતી અને આ પીએસઆઇ હજુ મોરબી જિલ્લામાં ફરજ ઉપર હતા દરમિયાન તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી હાલમાં મળી રહી છે જોકે કયા કેસમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી હજુ મેળવાઈ રહી છે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં અગાઉ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આર.પી. જાડેજાને થોડા સમય પહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને કંટ્રોલ ઇન્ચાર્જ તરીકે મોરબી એસપી કચેરી ખાતે મુકવામાં આવ્યા હતા દરમિયાન થોડા સમય પહેલાં રાજ્યની અંદર પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં મોરબીના પીએસઆઇ આર.પી. જાડેજાની પણ જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી હતી.જોકે હજુએ તેઓએ મોરબી જિલ્લામાં ચાર્જ મૂક્યો ન હતો દરમિયાન આજે મોરબીમાં પીએસઆઇ આર.પી. જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી હતી જેથી કરીને મોરબી જિલ્લાના પોલીસ વડા એસ.આર. ઓડેદરાની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પીએસઆઇ આર.પી. જાડેજાને હાલમાં તેઓએ સસ્પેન્ડ કર્યા છે 

જોકે, આ પીએસઆઇને કયા કારણોસર સસ્પેન્ડ કર્યા છે તે અંગેની વિગતવાર માહિતી હાલ મેળવાઈ રહી છે બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જમીન પ્રકરણના કોઇકારણે તેઓની સામે સસ્પેન્સન સુધીના પગલા લેવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે જોકે કયા કારણસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની વિગતો આવતીકાલ સુધીમાં સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અધિકારી અગાઉ જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોના અપહરણ સહિતના આક્ષેપો તેના ઉપર થયા હતા અને પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યુ હતુ એટલે કે કોઈને કોઈ વિવાદ તેઓની સાથે જોડાયેલો રહેતો હતો






Latest News