મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી કરતાં હિન્દુ-મુસ્લિમ યુવાન સામે પોલિસે કરી કાર્યવાહી


SHARE











વાંકાનેરમાં ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી કરતાં હિન્દુ-મુસ્લિમ યુવાન સામે પોલિસે કરી કાર્યવાહી

વાંકાનેર શહેરના નવાપરાના કોળી સમાજના છોકરા તથા મીલપ્લોટના મુસ્લીમ છોકરા વચ્ચે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબત સ્થાનિક પોલીસના ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક કાર્યાવહી કરી હતી અને હાલમાં મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર બાજનજર રાખવામાં આવી રહેલ છે

અમદાવાદ જીલ્લાના ધંધુકા મુકામે હત્યાનો બનાવ બનેલ છે તેના પ્રત્યાઘાત ન પડે તે માટે વાંકાનેરના પીઆઇ એન.એ.વસાવા તથા સ્ટાફના માણસો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ધંધુકાના હત્યાના બનાવ બાબતે અમુક આવારા તત્વો ધ્વારા જાહેરસુલેહ શાંતી તથા શાંતી ડહોળવાનો અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાઉ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી હતી અને જાહેરશાંતીને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનુ પોલીસને ધ્યાનમાં આવ્યું હતું

જેથી નવાપરાના કોળી સમાજના છોકરો તથા મીલપ્લોટના મુસ્લીમ છોકરા વચ્ચે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતે ફરીયાદી તેમજ સામાવાળાને શોધી કાઢી સાચી હકીકત જાણીને સામાવાળા વિરૂધ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુલેહશાંતી જળવાઈ રહે તે માટે તુરત જ કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ હાલની પરીસ્થતિને ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર બાજનજર રાખવામાં આવી રહેલ છે અને જો કોઈ આવી પ્રવૃતિ કરતા માલુમ પડશે તો તેઓના વિરૂધ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે






Latest News