મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાનું કામ રાખનારા યુવાનને કુહાડી બતાવીને ૩ શખ્સોએ આપી મારી નાખવાની ધમકી


SHARE











વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાનું કામ રાખનારા યુવાનને કુહાડી બતાવીને ૩ શખ્સોએ આપી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામથી આગળના ભાગમાં જઈ રહેલા યુવાનને કારખાનાનું કામ રાખેલ છે તે બાબતે ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને રોકીને કુહાડી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા ભરતભાઈ રાણાભાઈ મકવાણા જાતે આહીર (ઉમર ૩૨) ને મેસરીયા ગામના બોર્ડથી આગળના ભાગમાં ગેલાભાઈ મોતીભાઈ આલ, મુન્નાભાઈ હામાભાઇ ણ રહે. બંને રંગપર તાલુકો વાંકાનેર અને તેની સાથે રહેલ એક અજાણ્યા શખ્સે રોકીને કુહાડી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ભરતભાઈ મકવાણાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગેલાભાઈ આલ સહિતના ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ નવા બનતા કારખાનામાં કામ રાખેલ છે જે ગેલાભાઈ આલને સારું નહીં લાગતા તે બાબતનો રોષ રાખીને તેઓએ કુહાડી બતાવી હતી અને અન્ય બે શખ્સોએ સિલ્વર કલરની કારમાં આવીને તેને ઊભો રાખીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ગેલાભાઈ આલએ ધમકી આપી હતી જેથી પોલીસે ભોગ બનેલા ભરતભાઈની ફરિયાદ લઈને આરોપીઓ સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માત

માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર અણીયાળી ટોલનાકાની બાજુમાં હળવદ બાજુથી ગોરાપીરની જગ્યા પાસેથી પસાર થતો ટ્રક નંબર જીજે ૧૨ બીએકસ ૪૩૬૦ ના ચાલક બજરંગબલીભાઈ યાદવ રહે. હાલ સામખયારી ગુજરાત લોજીસ્ટીક કંપની તાલુકો ભચાઉ મૂળ રહે યુપી વાળાએ પોતાના હવાલા વાળી ટ્રક બેફીકરાઈથી ચલાવીને જોરદાર બ્રેક મારી હતી જેથી ટ્રક રોડની સાઈડમાં આવેલ ગટરમાં પલ્ટી મારી ગયો હતો અને આ બનાવમાં ટ્રકચાલકને તેમજ તેની સાથે રહેલા ક્લીનરને નાના મોટી ઈજાઓ થઈ હતી જે બનાવ સંદર્ભે હાલમાં ગુલાબભાઈ અલ્લારખાભાઈ મેજા જાતે મુસ્લિમ (૪૫) રહે. ભચાઉ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News