મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ


SHARE













મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ

મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળની ભરતીની ઘણી બહેનો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને તેઓને નિવૃત આર્મી ઓફિસર દ્વારા નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવા માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેની નોંધ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ છે અને તેઓના આ ઉમદા કાર્યને બિરદાવ્યૂ છે.

મોરબીમાં રહેતા નિવૃત આર્મી ઓફિસર સહદેવસિંહ ઝાલાને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી છે જેમાં જણાવ્યુ છે કે, “આપના દ્વારા મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળની ભરતીની તૈયારી કરતી બહેનો માટે છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે, તે જાણીને અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું.” અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલા ભારતીય સેનામાં ૨૮ વર્ષ સુધી રાષ્ટ્રસેવા કર્યા બાદ તેઓ નિવૃત્તિ થયા છે અને હાલમાં તેઓએ દીકરીઓના સશક્તિકરણનું બીડું ઝડપ્યું છે, ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને અનુસરીને તેઓએ દિકરીઓને દરેક ક્ષેત્રમાં નેતૃત્વ અપાવવા માટે હાલમાં ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને કાર્ય વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને બળ પૂરું પાડે છે. અને હાલમાં દીકરીઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તે માટે રનિંગ, ટાઈમ મેનેજમેન્ટ અને ડાયેટ પ્લાન દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તે લોકરક્ષક અને પોલીસ ભરતી માટે તૈયારી કરતી દીકરીઓને ખુબજ ઉપયોગી થશે. અને મોરબીના નિવૃત ઓફિસર સહદેવસિંહ ઝાલા દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તે અન્ય નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.






Latest News