મોરબીમાં આગમી શુક્રવારે દરિયાલાલ પ્રભુની પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ ઉજવણી કરાશે
મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ
SHARE
મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ
મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને મોરબી શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનની પ્રેરણા અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન મુજબ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં મોરબી શહેર ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા. અને “જેના અન્ન ભેગા એમના મન ભેગા” એ સૂત્રને લઈને ભાજપ દ્વારા આ ટિફિન બેઠકનું આયોજન કરેલ હતું આ ટિફિન બેઠકમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની રૂપરેખા અને આગામી દરેક વોર્ડ દીઠ ટિફિન બેઠક થાય તેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, મહમંત્રી ભાવેશભાઈ કંઝારીયા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ મોરબી શહેરના તમામ હોદ્દેદારો, તમામ મોરચાના હોદ્દેદારો, તમામ જ્ઞાતિના હોદ્દેદારો,પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખઓ, વોર્ડ પ્રભારીઓ, બુથ પ્રમુખઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, કારોબારી સભ્યો ટિફિન લઇને હાજરી આપી હતી.