મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ


SHARE













મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ

મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને મોરબી શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનની પ્રેરણા અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન મુજબ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં મોરબી શહેર ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા. અને “જેના અન્ન ભેગા એમના મન ભેગા” એ સૂત્રને લઈને ભાજપ દ્વારા આ ટિફિન બેઠકનું આયોજન કરેલ હતું આ ટિફિન બેઠકમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની રૂપરેખા અને આગામી દરેક વોર્ડ દીઠ ટિફિન બેઠક થાય તેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, મહમંત્રી ભાવેશભાઈ કંઝારીયા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ મોરબી શહેરના તમામ હોદ્દેદારો, તમામ મોરચાના હોદ્દેદારો, તમામ જ્ઞાતિના હોદ્દેદારો,પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખઓ, વોર્ડ પ્રભારીઓ, બુથ પ્રમુખઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, કારોબારી સભ્યો  ટિફિન લને હાજરી આપી હતી.




Latest News