મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીમાં આગમી શુક્રવારે દરિયાલાલ પ્રભુની પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ ઉજવણી કરાશે


SHARE













મોરબીમાં આગમી શુક્રવારે દરિયાલાલ પ્રભુની પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ ઉજવણી કરાશે

મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતી નિમિતે દર વર્ષે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતી નિમિતે 45 માં સમારોહનું આગામી તા. 20 માર્ચને શુક્રવારે આયોજન કરવાં આવ્યું છે.

મોરબીમાં નહેરુગેટ પાસે આવેલ શ્રી દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતી નિમિતે 45 માં મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 20 ના રોજ સવારે 6થી 7 આરતી, ત્યાર બાદ પ્રભુનું પૂજન, રામાયણ પ્રવચન, વરુણ યજ્ઞ રાખવામા આવેલ છે અને આ વર્ષે વરુણ યજ્ઞના યજમાન પદે મોરબીના રહેવાસી અમિતભાઈ રજનીકાંતભાઈ પૂજારા અને પૂર્વીબેન અમિતભાઈ પુજારા પરિવાર સાતક બેસશે. અને તે દિવસે સાંજે 6 થી 8 બહેનો માટે અને 8 થી 10 ભાઈઓ માટે પ્રસાદનું દશાશ્રી માળી વણિક જ્ઞાતિ ભોજન શાળા સાવસર પ્લોટ મેઈન રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેથી ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.




Latest News