મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ


SHARE











મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ

મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ શખ્સો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેને તોડી પાડવા માટે આજે તંત્રો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને ત્રણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે

સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ સરકારી જમીન ઉપર કે ગૌચરની જમીન ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે થઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી શહેરના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા તથા જીગર નામના બે શખ્સો કે જેની સામે મારામારી, પ્રોહિબિશન વિગેરેના ગુના નોંધાયેલા છે આ શખ્સો દ્વારા જુદી જુદી ચાર જગ્યા ઉપર ત્રણ પાકા મકાન અને એક જગ્યાએ પતરની આડસ કરીને ડેલા જેવું દબાણ કર્યું હતું આ ચારેય જગ્યા ઉપર આજે મોરબીના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓની હાજરીમાં 3 જેસીબીને કામે રાખીને તમામ પ્રકારના દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કુલ મળીને 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને આજે તોડી પાડવામાં આવેલ છે અને સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરીને અંદાજે 65 લાખ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે અને આગામી સમયમાં આવી જ રીતે મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યો હશે તો ટી દબાણ તોડીને કરવામાં આવશે તેવું ડીવાયએસપી જે.એમ.આલએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું






Latest News