મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ચરિત્રની શંકા કરીને પરિણીતાને માર માર્યો: પતિ સહિત 3 સામે ફરિયાદ


SHARE











મોરબીમાં ચરિત્રની શંકા કરીને પરિણીતાને માર માર્યો: પતિ સહિત 3 સામે ફરિયાદ

મોરબીમાં દલવાડી સર્કલ પાસે વાડી વિસ્તારમાં રહેતી પરણીતાના ચરિત્ર ઉપર શંકા વહેમ કરીને તેના પતિ, દિયર અને સસરા દ્વારા ગાળો આપવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો જેથી મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પતિ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવે છે જ્યારે સામાથી સસરાએ તેની પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનિષાબેન દિલીપભાઈ ડાભી (30એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સસરા દેવકરણભાઈ નારણભાઈ, પતિ દિલીપભાઈ દેવકણભાઈ અને દિયર જગદીશભાઈ દેવકણભાઈ રહે બધા રોલા રાતડીયાની વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદીના ચરિત્ર ઉપર શંકા વહેમ કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી હતી તથા માથાના વાળ ખેચીને ઇજાઓ કરી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.જ્યારે સામાપક્ષેથી દેવકણભાઈ નારણભાઈ ડાભી (60મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મનીષાબેન તેના દીકરાની વહુ છે અને બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી અવારનવાર ઝઘડા થતા હોય ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રસોઈ બનાવવાની તપેલી વડે હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News