મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર


SHARE











મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર

મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખની ટર્મ પૂરી થઈ રહી હતી જેથી વોલ ટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખ માટે ત્રણ કારખાનેદારોએ દાવેદારી કરી હતી જેથી આજે વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદે માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા 100 ટકા મતદાન કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવતા 79 મત સાથે નરેન્દ્રભાઈ સંઘાતનો વિજય થયો છે. અને તેઓએ આગામી સમયમાં સિરામિક ઉદ્યોગમાં કામ કરતાં શ્રમિકો માટે તેમજ ઉદ્યોગ માટે પાણી અને વીજળીના પ્રશ્નો છે તેને ઉકેલવા માટે પ્રાધાન્ય આપવામાં આવશે તેવી ખાતરી આપેલ છે.

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ હરેશભાઈ બોપલિયા બે ટર્મ એટ્લે કે ચાર વર્ષથી કાર્યરત હતા અને આગામી તા 31 માર્ચના રોજ તેઓની ટર્મ પૂરી થઈ રહી હતી જેથી કરીને નવા પ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી કરીને વોલ ટાઇલ્સ એસો. ના સભ્યોમાંથી ત્રણ કારખાનેદારો દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચૂંટણીમાં મત મળે તેના માટે ઉમેદવારો તેમજ તેઓના સમર્થકો દ્વારા રૂબરૂ, સોશયલ મીડિયાથી તેમજ ફોન કરીને પ્રચાર કરવામાં આવ્યો હતો અને મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનમાં પ્રમુખ પદ માટે તા 21 ના રોજ ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદના ઉમેદવાર કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરા હતા અને સિરામિક વોલ ટાઇલ્સનું કારખાનું ધારવતા હોય તેવા 161 સભ્યોએ મતદાન કરવાનું હતું અને આ ચુંટણીમાં નિયત સમય મર્યાદામાં બેલેટ પેપરથી મતદારો દ્વારા 100 ટકા મતદાન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મત ગણતરી કરવામાં આવી હતી જેમાં નરેન્દ્રભાઈ સંઘાતને 79, કાંતિભાઈ સીતાપરા 53 અને કેવલભાઈ સંઘાણી 29 મત મળ્યા હતા. જેથી કરીને ચૂંટણી અધિકારી મણિભાઈ દ્વારા નરેન્દ્રભાઈ સંઘાતને વિજેતા જાહેર કરીને મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખ જાહેર કર્યા હતા ત્યારે સિરામિક એસો.ના હૉલ ખાતે હાજર રહેલા તમામ ઉદ્યોગકારોએ નવા પ્રમુખને આવકાર્યા હતા અને ત્યાર બાદ નરેન્દ્રભાઈ સંઘાતે પત્રકારોને જણાવ્યુ હતું કે આગામી સમયમાં સિરામિક ઉદ્યોગમાં કામ કરતાં શ્રમિકો માટે તેમજ ઉદ્યોગ માટે પાણી અને વીજળીના પ્રશ્નો છે તેને ઉકેલવા માટેના કામને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ સિરામિક ટ્રેડને વધુમાં વધુ ફાયદો થાય તેવી કામગીરી તેઓ અન્ય ડિવિઝનના પ્રમુખો તથા ઉદ્યોગકારોને સાથે રાખીને કરશે.






Latest News