​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE













મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા સોમવારેના રોજ રાતે શહીદોને શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં જાણીતા વકતાઓ આવશે જેથી કરીને રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર કાર્યક્રમમાં આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ૧૪ વર્ષથી ૨૩ માર્ચને ભગતસિહ, રાજ્યગુરુ અને સુખદેવ તથા દેશ માટે આપેલા બલિદાનીઓને બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે કૂપવાડામાં બલિદાન થયેલ રમેશજી પટેલના ધર્મ પત્નીને તા ૧૯/૩/૨૦૨૬ નારોજ ૫,૧૧,૦૦૦ દાન આપવામાં આવેલ છે આ દાન પેકેજિંગ એસો. દ્વારા આપવામાં આવેલ છે જેથી તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી તા ૨૩ ને સોમવારેના રોજ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર, દેવ ફાર્મ સામે એસ.પી. રોડ મોરબી ખાતે રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે જેમાં આ વખતે પ્રખ્યાત લેખક અને વક્તા ડો. શરદભાઈ ઠાકર તેમજ આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી મહિલા વક્તા ડો. આયુષીબેન રાણા આવવાના છે જેથી મોરબીના રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર આવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News