માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી
મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન
SHARE
મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન
મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા સોમવારેના રોજ રાતે શહીદોને શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે “એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં જાણીતા વકતાઓ આવશે જેથી કરીને રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર કાર્યક્રમમાં આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ૧૪ વર્ષથી ૨૩ માર્ચને ભગતસિહ, રાજ્યગુરુ અને સુખદેવ તથા દેશ માટે આપેલા બલિદાનીઓને બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે “એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે કૂપવાડામાં બલિદાન થયેલ રમેશજી પટેલના ધર્મ પત્નીને તા ૧૯/૩/૨૦૨૬ નારોજ ૫,૧૧,૦૦૦ દાન આપવામાં આવેલ છે આ દાન પેકેજિંગ એસો. દ્વારા આપવામાં આવેલ છે જેથી તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી તા ૨૩ ને સોમવારેના રોજ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર, દેવ ફાર્મ સામે એસ.પી. રોડ મોરબી ખાતે રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે જેમાં આ વખતે પ્રખ્યાત લેખક અને વક્તા ડો. શરદભાઈ ઠાકર તેમજ આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી મહિલા વક્તા ડો. આયુષીબેન રાણા આવવાના છે જેથી મોરબીના રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર આવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.