મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE







મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા સોમવારેના રોજ રાતે શહીદોને શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં જાણીતા વકતાઓ આવશે જેથી કરીને રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર કાર્યક્રમમાં આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ૧૪ વર્ષથી ૨૩ માર્ચને ભગતસિહ, રાજ્યગુરુ અને સુખદેવ તથા દેશ માટે આપેલા બલિદાનીઓને બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ તથા વીરાંજલિ આપવા માટે એક શામ અમર જવાનો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે કૂપવાડામાં બલિદાન થયેલ રમેશજી પટેલના ધર્મ પત્નીને તા ૧૯/૩/૨૦૨૬ નારોજ ૫,૧૧,૦૦૦ દાન આપવામાં આવેલ છે આ દાન પેકેજિંગ એસો. દ્વારા આપવામાં આવેલ છે જેથી તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી તા ૨૩ ને સોમવારેના રોજ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર, દેવ ફાર્મ સામે એસ.પી. રોડ મોરબી ખાતે રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે જેમાં આ વખતે પ્રખ્યાત લેખક અને વક્તા ડો. શરદભાઈ ઠાકર તેમજ આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી મહિલા વક્તા ડો. આયુષીબેન રાણા આવવાના છે જેથી મોરબીના રાષ્ટ્રપ્રેમી અને સનાતન ધર્મપ્રેમી લોકોને સહપરિવાર આવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News