મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી


SHARE











માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટી બરાર ગામે તાજેતરમાં બનેલ વીજપોલ ધરાશાય અને ત્યારબાદ લાંબા સમય સુધી વીજ લાઈન ચાલુ રહી જવાની ઘટનાને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગયેલ છે અને આ ઘટનાને માત્ર એક સામાન્ય દુર્ઘટના તરીકે નહીં જોતા, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.

હાલમાં કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હાઈ વોલ્ટેજ વીજ લાઈનો ખેતરોમાંથી પસાર થતી હોવાથી સંભવિત જોખમોને અવગણવામાં આવી શકે નહીં. તેમણે સૂચન કર્યું હતું કે જ્યારે પણ સરકાર અથવા કોઈ કંપની દ્વારા હાઈ વોલ્ટેજ વીજ લાઈનો નાખવામાં આવે છે ત્યારે ખેડૂતો દ્વારા અગાઉથી લેખિતમાં સ્પષ્ટતા લેવાઈ જોઈએ. તેમણે વધુમાં ટંકારા, મોરબી તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ બાબતે સજાગ રહેવા અને પોતાના હક્કોની રક્ષા માટે એકજૂટ થવાનું આહવાન કર્યું હતું. આટલું જ નહીં કોઈપણ દુર્ઘટના બને ત્યારે જવાબદારી કોની રહેશે, તેમજ નુકસાન કે જાનહાનિ થાય તો વળતર અંગેની જોગવાઈ શું હશે તે મુદ્દાઓ સ્પષ્ટપણે લેખિતમાં લેવાની જરૂરી છે. આથી ભવિષ્યમાં ખેડૂતોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. તેમજ કંપનીઓ અને સંબંધિત તંત્ર દ્વારા સુરક્ષા માપદંડોનું કડક પાલન થાય તે પણ અત્યંત આવશ્યક ગણાવાયું છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને રમેશ રબારી દ્વારા આપવામાં આવેલા સૂચનોને સમર્થન આપ્યું હતું.






Latest News