મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી


SHARE













માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટી બરાર ગામે તાજેતરમાં બનેલ વીજપોલ ધરાશાય અને ત્યારબાદ લાંબા સમય સુધી વીજ લાઈન ચાલુ રહી જવાની ઘટનાને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગયેલ છે અને આ ઘટનાને માત્ર એક સામાન્ય દુર્ઘટના તરીકે નહીં જોતા, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.

હાલમાં કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હાઈ વોલ્ટેજ વીજ લાઈનો ખેતરોમાંથી પસાર થતી હોવાથી સંભવિત જોખમોને અવગણવામાં આવી શકે નહીં. તેમણે સૂચન કર્યું હતું કે જ્યારે પણ સરકાર અથવા કોઈ કંપની દ્વારા હાઈ વોલ્ટેજ વીજ લાઈનો નાખવામાં આવે છે ત્યારે ખેડૂતો દ્વારા અગાઉથી લેખિતમાં સ્પષ્ટતા લેવાઈ જોઈએ. તેમણે વધુમાં ટંકારા, મોરબી તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ બાબતે સજાગ રહેવા અને પોતાના હક્કોની રક્ષા માટે એકજૂટ થવાનું આહવાન કર્યું હતું. આટલું જ નહીં કોઈપણ દુર્ઘટના બને ત્યારે જવાબદારી કોની રહેશે, તેમજ નુકસાન કે જાનહાનિ થાય તો વળતર અંગેની જોગવાઈ શું હશે તે મુદ્દાઓ સ્પષ્ટપણે લેખિતમાં લેવાની જરૂરી છે. આથી ભવિષ્યમાં ખેડૂતોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. તેમજ કંપનીઓ અને સંબંધિત તંત્ર દ્વારા સુરક્ષા માપદંડોનું કડક પાલન થાય તે પણ અત્યંત આવશ્યક ગણાવાયું છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને રમેશ રબારી દ્વારા આપવામાં આવેલા સૂચનોને સમર્થન આપ્યું હતું.






Latest News