ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ


SHARE













વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ

મોરબ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગાયત્રી ઉપાસક મણીભાઈ ગડારા દ્વારા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની મુલાકાતે આવેલા બહેનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન એમ. મણીયાર, જાગૃતિબેન ગઢીયા, કંચનબેન કાનાણી તેમજ આનંદ ગરબા અને સત્સંગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં ઉપાસક અશ્વિનભાઈ રાવલ અને તેમની ટીમ દ્વારા અનેક પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અહીં અન્નપૂર્ણા ટિફિન સેવા, વાત્સલ્ય મંદિરમાં મંદબુદ્ધિ તથા વિકલાંગ બાળકોની સેવા,ધો. 1 થી 9 સુધીના બાળકોને મફત શિક્ષણ, આરોગ્યવર્ધક પ્રવૃત્તિઓ તેમજ ગૌશાળાની સેવા જેવી માનવતા આધારિત અનેકવિધ કામગીરી સતત ચાલે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાનો રોજનો ખર્ચ આવક કરતાં વધારે હોવાથી સંસ્થાને સહાયરૂપ થવા માટે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કથા તા. 29-03-2026 થી રાત્રિના સમયે યોજાશે. આ કથાનું વક્તવ્ય પાયલબેન પટેલ દ્વારા કરવામાં આવશે, જે પોતાની ભાવમય અને પ્રેરણાદાયી શૈલીમાં શ્રોતાઓને આધ્યાત્મિક રસપાન કરાવશે. આ કથા દરમિયાન મળનાર દરેક પ્રકારનો ફાળો વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત કરવામાં આવશે. આ આયોજન દ્વારા સમાજમાં સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.






Latest News