મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં 25 વર્ષની નાની દીકરીઓને મંગળવારે કેરાલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામાં આવશે વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ ફ્રુટ વિતરણ કરીને કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની કરાઇ ઉજવણી માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ


SHARE













વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ

મોરબ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગાયત્રી ઉપાસક મણીભાઈ ગડારા દ્વારા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની મુલાકાતે આવેલા બહેનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન એમ. મણીયાર, જાગૃતિબેન ગઢીયા, કંચનબેન કાનાણી તેમજ આનંદ ગરબા અને સત્સંગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં ઉપાસક અશ્વિનભાઈ રાવલ અને તેમની ટીમ દ્વારા અનેક પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અહીં અન્નપૂર્ણા ટિફિન સેવા, વાત્સલ્ય મંદિરમાં મંદબુદ્ધિ તથા વિકલાંગ બાળકોની સેવા,ધો. 1 થી 9 સુધીના બાળકોને મફત શિક્ષણ, આરોગ્યવર્ધક પ્રવૃત્તિઓ તેમજ ગૌશાળાની સેવા જેવી માનવતા આધારિત અનેકવિધ કામગીરી સતત ચાલે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાનો રોજનો ખર્ચ આવક કરતાં વધારે હોવાથી સંસ્થાને સહાયરૂપ થવા માટે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કથા તા. 29-03-2026 થી રાત્રિના સમયે યોજાશે. આ કથાનું વક્તવ્ય પાયલબેન પટેલ દ્વારા કરવામાં આવશે, જે પોતાની ભાવમય અને પ્રેરણાદાયી શૈલીમાં શ્રોતાઓને આધ્યાત્મિક રસપાન કરાવશે. આ કથા દરમિયાન મળનાર દરેક પ્રકારનો ફાળો વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત કરવામાં આવશે. આ આયોજન દ્વારા સમાજમાં સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




Latest News