મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ


SHARE











વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ

મોરબ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગાયત્રી ઉપાસક મણીભાઈ ગડારા દ્વારા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની મુલાકાતે આવેલા બહેનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન એમ. મણીયાર, જાગૃતિબેન ગઢીયા, કંચનબેન કાનાણી તેમજ આનંદ ગરબા અને સત્સંગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં ઉપાસક અશ્વિનભાઈ રાવલ અને તેમની ટીમ દ્વારા અનેક પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અહીં અન્નપૂર્ણા ટિફિન સેવા, વાત્સલ્ય મંદિરમાં મંદબુદ્ધિ તથા વિકલાંગ બાળકોની સેવા,ધો. 1 થી 9 સુધીના બાળકોને મફત શિક્ષણ, આરોગ્યવર્ધક પ્રવૃત્તિઓ તેમજ ગૌશાળાની સેવા જેવી માનવતા આધારિત અનેકવિધ કામગીરી સતત ચાલે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાનો રોજનો ખર્ચ આવક કરતાં વધારે હોવાથી સંસ્થાને સહાયરૂપ થવા માટે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કથા તા. 29-03-2026 થી રાત્રિના સમયે યોજાશે. આ કથાનું વક્તવ્ય પાયલબેન પટેલ દ્વારા કરવામાં આવશે, જે પોતાની ભાવમય અને પ્રેરણાદાયી શૈલીમાં શ્રોતાઓને આધ્યાત્મિક રસપાન કરાવશે. આ કથા દરમિયાન મળનાર દરેક પ્રકારનો ફાળો વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત કરવામાં આવશે. આ આયોજન દ્વારા સમાજમાં સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.






Latest News