ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા


SHARE











વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા

વાંકાનેર તાલુકાના જોધપર ખારી પાસે સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત કુલ મળીને છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું  છે અને અન્ય પાંચ ઇજાગ્રસ્તોને હાલમાં રાજકોટ ખાતે સારવાર કરવામાં આવે છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અકસ્માતનાં બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં જોધપર ખારી ગામ પાસેથી સીએનજી રીક્ષા અને ડમ્ફર પસાર થતા હતા ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઘૂસળી દીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે છ વ્યક્તિ પૈકીના રિક્ષાચાલકને વધુ ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું છે

હાલમાં અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભાનુભાઇ કરમશીભાઈ ભાલીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. ભલગામ વાળા પોતાની સીએનજી રીક્ષામાં રાજાવડલા ગામના રહેવાસી હુસેનભાઇ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૬૦), અબ્દુલભાઈ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૪૮), અફ્ઝ્લભાઇ અબદુલભાઇ વડાવીયા (ઉંમર ૨૪), ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી (ઉંમર ૫૪) અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (ઉંમર ૪૦) ને બેસાડીને જોધપર ખારી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રીક્ષા આગળ જતાં ડમ્પરમાં પાછળના ભાગે ઘૂસી ગઇ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રિક્ષાચાલક ભાનુભાઈનું મૃત્યુ નિપજયું છે અને અન્ય પાંચ મુસાફરો જે રિક્ષામાં બેઠા હતા તેઓને ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે






Latest News