મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લોકલાડીલા અને લડાયક નેતા તેમજ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ પ્રસંગે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં અમૃતિયા પરિવારના લોકો તેમજ કાંતિભાઈના ટેકેદારો અને ભાજપના આગેવાનો સહિતના લોકો હાજર h
રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું

મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ૬૪ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે લાખો કાર્યકરો અને શુભેચ્છકોની પ્રાર્થના, માનતા અને લાગણીના બળે તાજેતરમાં તેઓએ કેન્સર જેવા જટીલ રોગને પરાસ્ત કર્યો છે અને તેઓનું સફળ ઓપરેશન થઈ ગયું છે. ત્યારે તેઓના જન્મ દિવસનિમિતે તા ૮ ના રોજ રવિવારે સવારે ૮:૦૦ વાગ્યાથી કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુની કામના સાથે મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય મહિલાઓ સહિત ૨૦૧ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે. તેવી માહિતી રાજ્યમંત્રીના દીકરા પ્રથમ અમૃતિયાએ આપી હતી.

મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કાંતિભાઈ અમૃતિયાનું મુંબઈ ખાતે કેન્સરનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને તેઓને હવે નખમાં પણ રોગ નથી અને આગામી દિવસોમાં તેઓ અગાઉ જે રીતે મોરબીમાં લોક સેવાના અને લોક ઉપયોગી કામ કરતા હતા તેવી જ રીતે લોકોના કામ કરવા માટે ફરી લોકોની વચ્ચે આવી જવાના છે અને કાંતિભાઈએ કેન્સર જેવી બીમારીને પરાસ્ત કરી છે ત્યારે તેઓના ટેકેદારો અને શહેર ભાજપની ટીમમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ભાજપ પરિવારના લોકો દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવામાં આવ્યું છે.






Latest News