મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન


SHARE













મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન

મોરબીમાં મેડિકલ સારવાર માટે, ધંધા માટે કે પછી કોઈ કારણોસર લોકોને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા હોય છે અને ત્યારબાદ તે લોકો પાસેથી લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લેવામાં આવે તેમ છતાં પણ તેઓને ધાક ધમકી આપવામાં આવતી હોય છે જેથી આવા લોકોની રજૂઆતો સાંભળવા માટે અને જે લોકોને ખરેખર રૂપિયાની જરૂર હોય તેઓને બેંક મારફતે લોન મળે તે માટે થઈને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને લોકો વ્યાજખોરના ચક્રમાં ફસાવવાના બદલે લોકો બેંકોમાંથી લોન કેવી રીતે મેળવી શકાય તેની માહિતી આપવામાં આવશે.

મોરબી જીલ્લામાં ઠેરઠેર વ્યાજના હાટડા શેરીએ ગલ્લીએ ધમધમી રહ્યા છે અને લોકોને રૂપિયાની જરૂર પડે ત્યારે તેની પાસેથી વ્યાજખોરો મને પડે તેવા વ્યાજ વસૂલ કરતાં હોય છે તે હક્કિત છે અને મોરબી જીલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે હેરાન છે. તેવામાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી મંગળવારની તા. 24 ના રોજ મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી મોરબી જિલ્લાના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા આપવામાં આવી હતી જે હોય એ જણાવ્યું હતું કે આ જનસંપર્ક સભાની અંદર મોરબી જિલ્લાની અંદર કોઈપણ વ્યક્તિ ગેરકાયદે નાણાં ધીરધાર કરતાં લોકો કે વ્યાજ વટાવનો ભોગ બનેલા હોય તો તેઓની રજૂઆત સાંભળવામાં આવશે આટલું જ નહીં પરંતુ જે લોકોને ખરેખર નાણાની જરૂર હોય તેમને આ સભામાં હાજર રહેલા જુદીજુદી બેંકના કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા લોન કે ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.






Latest News