ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત


SHARE













મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો નેચરલ અને પ્રોપેન ગેસ ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધના કારણે મળતો બંધ થાય તેવી શક્યતાઓ છે જેથી ઈંધણ ન મળવાના કારણે મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ ગણતરીના દિવસોમાં બંધ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે મોરબીના જુદા જુદા સિરામિક કારખાનાઓની અંદર રોજગારી મેળવવા માટે ગુજરાતના જુદા જુદા જિલ્લા તથા દેશના જુદા જુદા રાજ્યમાંથી આવેલા લાખો શ્રમિકોની રોજગારીનો પ્રશ્ન ઉભો થશે આટલું જ નહીં પરંતુ ઉદ્યોગકારો દ્વારા ઉધારમાં જે માલનું વેચાણ કરવામાં આવ્યું છે તે કરોડો રૂપિયા પણ ફસાય તેવી શક્યતા છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જોકે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મિસાઈલ તથા ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તેવામાં સાઉદી ખાતે આવેલ અરામકો નામની સૌથી મોટી રિફાઇનરીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો આટલું જ નહીં પરંતુ એક જહાજને પણ હુમલોમાં તોડી પાડવામાં આવ્યું છે જેથી કરીને પેટ્રોલિયમ પેદાશનું પરિવહન બંધ કરવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિ જોતા મોરબીમાં આગામી બે થી ત્રણ દિવસની અંદર વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ છે તેને ગેસ એટલે કે ઈંધણના ન મળવાના કારણે બંધ કરવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક કારખાનાઓમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તેમજ ભારતના જુદા જુદા રાજ્યમાંથી લાખોની સંખ્યામાં શ્રમિકો તેઓના પરિવાર સાથે રોજગારી મેળવવા માટે થઈને આવ્યા છે અને સીરામીક કારખાના બંધ થશે તો આ લાખો શ્રમિકોની રોજગારી સામે પણ પ્રશ્નાર્થ ઊભો થઈ જશે વધુમાં મોરબીમાં સિરામિક કારખાનું ધરાવતા જીતુભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના સીરામીક ઉદ્યોગકારો દ્વારા ઉધારમાં માલનું વેચાણ કરવામાં આવ્યુ હોય છે અને આવા સમયે જો ગેસની શોર્ટ સપ્લાયના કારણે સિરામિક કારખાનાઓને બંધ કરવા પડશે તો ઉધારમાં જે માલનું વેચાણ કરવામાં આવ્યું છે તે નાણા ફસાઈ જશે અને કારખાનેદારોને દર મહિને જે ફિક્સ ખર્ચા લાગતા હોય તે ખર્ચા લાગવાના જ છે જેથી ઉદ્યોગકારોને બેવડો માર પડશે અને સિરામિક ઉદ્યોગ ઉપર મોટું આર્થિક સંકટ આવશે.








Latest News