મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ


SHARE











મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ

મોરબીમાં જતીન આડેસરા નામના સોની વેપારીની હત્યા કરવામાં આવી હતી તે યુવાનનું આજે બેસણું રાખવામા આવ્યું હતું અને જે વાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું ત્યાંથી લઈને જે જગ્યા ઉપર યુવાની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધીની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલા આરોપીઓને આકરી સજા થાય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને મૃતક જતીન આડેસરાના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી સોની સમાજના લોકો દ્વારા કરવામાં આવી છે

મોરબીમાં કાર લઈને જતિન આડેસરા (36) નામનો યુવાન તેના પરિવારજનોની સાથે ગુરુવારે રાતે ઘરે જઇ રહ્યો હતો ત્યારે સ્કૂટરનો ઓવરટેક કરવા જેવી વાતમાં તેને છરીના ત્રણ ઘા માર્યા હતા જેથી કરીને તે યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું અને આ મૃતક યુવાનની આત્માની શાંતિ અર્થે આજે તેઓના પરિવારજનો દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવલે સત્યમ પાન વાળી શેરીમાં આવલે સિદ્ધિ વિનાયક વાડીએ બેસણું રાખવામાં આવ્યું હતું તેમાં રાજકીય પક્ષના આગેવાનો તેમજ મોરબીના નગરજનો સહિતના લોકો આવ્યા હતા અને જતીન આડેસરાની આત્માને શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી

ત્યાર બાદ સિદ્ધિવિનાયક વાડીથી લઈને મોરબીના સનાળા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમની સામે જે જગ્યા ઉપર જતિન આડેસરાને છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધીની એક મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઇ હતી જેમાં તમામ લોકો જોડાયા હતા અને ખાસ કરીને જતીન આડેસરાની હત્યાના ગુનામાં સંડોવાયેલા જે કોઈ આરોપી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને જતીન આડેસરા અને તેના પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેવી કામગીરી કરવામાં આવે તેવી સોની સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.






Latest News