મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી


SHARE











મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી

મોરબી જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના મહામંત્રી તરીકે નિર્મલભાઇ જારીયાની વરણી કરવામાં આવી છે જેથી તેઓના નિવાસ્થાન ખાતે આતિશબાજી કરીને ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકારવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા

ગઈકાલે મોડી સાંજે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મહામંત્રી તરીકે મોરબીમાં જેલ રોડ ઉપર રહેતા નિર્મલભાઇ જારીયાની વરણી કરવામાં આવી છે જેથી કરીને મોરબીના જેલ રોડ ઉપર આવેલા તેઓના નિવાસ્થાન ખાતે આતિશબાજી અને ઢોલ નગારા સાથે લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો અત્રે ઉલ્લેખીએ છીએ કે નિર્મલભાઇ જારીયા અગાઉ જિલ્લા ભાજપની જે ટીમ હતી તેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપતા હતા અને હવે તેઓની મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે.






Latest News