મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં સમસ્ત સતવારા સમાજ તથા જય મહાકાલ ગ્રુપ દ્વારા દર વર્ષે શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં શોભાયાત્રા નીકળી હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે વિવિધ પ્રકારના ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા

આજે શિવરાત્રીના દિવસે સમગ્ર દુનિયામાં શિવજીના મંદિરોમાં શિવજીનું પૂજન અર્ચન શિવ ભક્તો દ્વારા કરવામાં આવતું હોય છે અને ઠેર ઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજાતા હોય છે ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં સમસ્ત સતવારા સમાજ તથા જય મહાકાલ ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના આવેલ શક્તિધામ ખાતે આ શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ વાવડી રોડ, રેલ્વે સ્ટેશન રોડ, સુભાષ રોડ, પરા બજાર, નગર દરવાજા, રવાપર રોડ થઈને મોટેશ્વરે મહાદેવ મંદિરે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રાની સાથે બનાવવામાં આવેલા વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સતવારા સમાજ ઉપરાંત જુદા જુદા હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને મોરબીના માર્ગો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા






Latest News