મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત


SHARE











મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત

મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાનો કેનાલની બીજી બાજુનો  રોડને સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવા માટે ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવેલ છે.  

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને દલવાડી સર્કલ જે બાય પાસ રોડ પર આવેલ છે. અને તાજેતરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનાં રોડને વનવે જાહેર કરી દેવામાં આવેલ છે જેથી હવે કોઈ વાહન ચાલકને બાયપાસ જવું હશે તો ભક્તિનગર સર્કલ થઇને જવું પડશે મોરબીમા લીલાપરથી ઉમિયા સર્કલ સુધીનો કેનાલનો બીજી બાજુ નો રોડ C.C. રોડ બનાવવામા આવેલ છે. પરંતુ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો રોડ બનાવવામાં આવ્યો નથી તેઓ આ રોડ કેમ બનાવવામાં આવેલ નથી તે એક મોટો પ્રશ્ન છે. 

થોડા વર્ષો પહેલ જયારે ગંગા જમુના એપાર્ટમેન્ટ બાજુનો રોડ જે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જાય છે. તેને ત્યારના  S.P. દ્વારા વનવે જાહેર કરવામ આવેલ હતો. પરંતુ ત્યાર બાદ આ રોડ શા માટે C.C. રોડ બનવવામાં આવ્યો નથી તેની તપાસ કરવાની જરૂર છે. હવે આ રોડની જરૂરત નથી ? વનવે જાહેર કરવામાં આવેલ હતો તે એક તપાસનો વિષય પણ છે. આ રોડ ના બનાવના કારણે ઉમિયા સર્કલ પાસે  ટ્રાફિક જામની સમસ્યા વારવાર થાય છે. જેથી કરીને આ રોડને C.C. રોડ બનાવીને લોકોની સુવિધા મા વધારે કરવામા આવે અને આ કામને તાત્કાલિક મંજુર કરવામા આવે તેવી માંગ કરેલ છે અને જો કામ કરવામાં નહીં આવે તો મોરબી ના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે. 






Latest News