મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE











મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીમાં અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર માટે આસરે 10 વર્ષ પહેલા 150 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા જો કે, શહેરમાં બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનમાંથી મોટાભાગના પમ્પિંગ સ્ટેશન હાલમાં બંધ હાલતમાં છે ત્યારે તેના તેના માટે જવાબદાર કોણ તેઓ અણીદાર સવાલ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આવનારી ચુંટણીમાં મારો તે સારો નહીં પરંતુ સારો તે મારો તેવા મંત્રને નજર સમક્ષ રાખીને મતદાન કરવામાં આવશે તો મોરબીને સો ટકા પેરિસ બનાવી શકાય તેમ છે.

મોરબીમાં વર્ષ 2016 માં માજી મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના હસ્તે 150 કરોડની અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને શહેરમાંથી ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ કરવા માટે 10 પમ્પિંગ સ્ટેશન જુદા જુદા વિસ્તારમાં બનવામાં આવ્યા છે જોકે, તે 10 પૈકીના 4 પમ્પિંગ સ્ટેશન સદંતર બંધ છે અને અન્ય પમ્પિંગ સ્ટેશન પણ થોડા સમય પહેલા ચાલુ કરવામાં આવ્યા છે તો વર્ષો સુધી આ પમ્પિંગ સ્ટેશન શા માટે થઈને બંધ રહ્યા ? તે બાબતે તપાસ કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા  દ્વારા માંગ કરવામાં આવી છે.

વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને નગરજનોને અપીલ કરી છે કે, અગાઉ મોરબીની અંદર એક જ પક્ષના 52 સભ્યોને ચૂંટણીમાં ચૂંટી કાઢીને નગરજનોએ ખૂબ હાલાકી ભોગવી છે ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં “મારો તે સારો નહીં, પરંતુ સારો એ મારો” આ મંત્રને ધ્યાને રાખીને જો નગરજનો દ્વારા ચૂંટણીમાં મતદાન કરીને ઉમેદવારોને ચૂંટવામાં આવશે તો મોરબીને ફરી પાછું સપનાનું પેરિસ બનાવી શકાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News