મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

જીવન ઉપયોગી શિક્ષણ: મોરબી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા CPR અને સામાજિક જાગૃતિ માટે અભિયાન


SHARE











જીવન ઉપયોગી શિક્ષણ: મોરબી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા CPR અને સામાજિક જાગૃતિ માટે અભિયાન

મોરબી શહેરમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ (NEGS) ના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક તથા જીવન બચાવતી CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) અંગે જનજાગૃતિ અભિયાન યોજાઈ રહ્યું છે.

જેમાં વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક, સંગીતમય કાર્યક્રમો અને CPR ના જીવંત પ્રદર્શન દ્વારા નાગરિકોને સમજાવ્યું હતું કે અચાનક હૃદયબંધ થાય ત્યારે સમયસર અને યોગ્ય CPR જીવન બચાવી શકે છે. CPR કરવાથી બચવાની શક્યતા ત્રણ ગણીએ વધી શકે છે, જ્યારે CPR વગર દર મિનિટે આશરે 10 ટકા બચવાની શક્યતા ઘટે છે. સાથે જ CPR દરમિયાન દર મિનિટે 100 થી 120 કમ્પ્રેશન તેમજ શ્વાસ અને કમ્પ્રેશન બંનેના મહત્વ વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

મોરબીના અલગ અલગ વિસ્તારોમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા હાલ CPR અને સામાજિક જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ જીવન બચાવતી મહત્વપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓની સરળ અને અસરકારક રજૂઆતોને કારણે લોકોમાં જાગૃતિ સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો છે. માનવજીવનના રક્ષણ માટે શરૂ કરાયેલું આ અભિયાન આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

શિક્ષણની સાથે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ વિદ્યાર્થીઓમાં માનવતા, જવાબદારી અને સમાજપ્રેમ વિકસે તેવા વિવિધ સામાજિક જાગૃતિ કાર્યક્રમો સતત આયોજિત કરતી રહે છે. આ અભિયાન દ્વારા શાળાએ પાઠ્યપુસ્તકની બહાર પણ જવાબદાર, સંવેદનશીલ અને સમાજ માટે ઉપયોગી નાગરિકો ઘડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.






Latest News