મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામ નજીક વાડીએ ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીના નવા સાદુળકા ગામ નજીક વાડીએ ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ નજીક આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ પાસે હરીપર કેરાળાના માર્ગ ઉપર આવેલ શિવલાલભાઈ મગનભાઈની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો પતલીયા ગમલા રાઠવા (43) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને દિલીપભાઈ પાંચોટિયા રહે. મોરબી વાળા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એસ.વી.સોલંકી ચલાવી રહ્યા છે

વૃધ્ધ સારવારમાં

વાંકાનેર તાલુકાના દેરાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સામાભાઈ સીદાભાઈ ભડાણીયા (72) નામના વૃદ્ધ દેરાળાથી વાકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાલી ગામ નજીક બાઇકમાંથી કોઈ કારણોસર પડી જતા તેઓને ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે






Latest News