તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા પરિવાર દ્રારા ગંગાસ્વરૂપ માતાઓની દિકરીઓનો યોજાશે સમૂહ લગ્નોત્સવ


SHARE











મોરબીમાં ઉમિયા પરિવાર દ્રારા ગંગાસ્વરૂપ માતાઓની દિકરીઓનો યોજાશે સમૂહ લગ્નોત્સવ

મોરબીમાં ઉમિયા માતાની કૃપાથી ઉમિયા પરિવાર સમાજના ભક્તિવાન, સેવાભાવી બજરંગ ધુન મંડળીના કર્મષ્ઠ સેવક ખરેડા ગામના પનોતા પુત્ર અને સમાજ જીવનમાં ઘણી વિધવા બહેનો અને ગરીબ પરિવારને યાત્રા કરાવેલ છે.એવા સિવિલ ડ્રેસમાં પણ એક સંત જેવું જીવન જીવતા ધનજીભાઈ ભગવાનજીભાઈ ડઢાણીયા તેમજ તેમના ધર્મપત્ની કંચનબેન દ્વારા ઉમિયા પરિવારમાં ગંગા સ્વરૂપ માતાઓની દિકરી માટે એક સમૂહ લગ્નનું આયોજન આગામી તા.૧૭-૦૨ ને ગુરૂવાર મહાવદ એકમના રોજ, સોખડા હનુમાન મંદિર(બેલા-રંગપર) ના પટાંગણમાં અને કનકેશ્વરીજીના આર્શીવાદ અને અન્ય સંતગણોની ઉપસ્થિતિમાં સંપન્ન થવાના છે. 

આ કાર્યને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે સંચાલનની જવાબદારી માળીયા-મો૨બી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સ્વીકારેલ છે. સમુહલગ્નમાં જોડાવા માટે ૨જીસ્ટ્રેશન સમિતિની ઓફીસ ખાતેથી જ કરવામાં આવશે.લગ્ન નોંધણી તા.૧૫-૧ સુધીમાં કરાવી લેવા જણાવાયુ છે.લગ્ન નોંધણી શ્રીજી હોલની નીચે માર્કેટિંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે થશે તે માટે સંસ્થાના મંત્રી જયંતીભાઈ વિડજા (મો.૯૯૭૮૯ ૨૧૩૧૮), સહમંત્રી મગનભાઈ અઘારા (મો.૯૮૨૫૦ ૯૮૦૭૯), ઈશ્વ૨ભાઈ સબા૫રા (મો.૯૪૨૭૨ ૨૨૫૧૦), રાજેશભાઈ ધનજીભાઈ ડઢાણીયા (મો.૯૮૭૯૦ ૧૦૫૮૪) અથવા વિપુલભાઈ ધનજીભાઈ ડઢાણીયા (મો.૯૮૨૫૨ ૬૩૦૬૧) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.

 






Latest News