ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં કણકોટ ગામે ગળેફાંસો ખાતા યુવાનનું મોત


SHARE











વાંકાનેર તાલુકાનાં કણકોટ ગામે ગળેફાંસો ખાતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા અને દુકાન ધરાવતા પ્રવીણભાઈ લખમણભાઇ સારદિયા જાતે કોળી નામના ૧૮ વર્ષીય યુવાને તેના ઘેર તારીખ ૧૮ ના રોજ ગળેફાસો ખાઇ લેતાં તેના ડેડબોડીને પીએમ અર્થે વાંકાનેર સિવિલે લઈ ગયા હતા માટે હોસ્પિટલ સત્તાવાળા તરફથી પોલીસને જાણ કરતા પોલીસ મથકના જે.જી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી અને તપાસ અધિકારી જે.જી.ઝાલા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક પ્રવીણભાઈ સરડીયાની એકાદ વર્ષ પહેલા સગાઈ થયેલ છે જોકે, સગપણ બાબતે મનમાં લાગી આવતા ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જોકે કઈ વાતનું તેને મનમાં લાગી આવ્યું હતું તે હાલ પરિવારજનો પાસેથી પણ જાણવા મળેલ નથી

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના વાવડી ગામે રહેતો રઘુવીરસિંહ ધર્મરાજસિંહ ઠાકુર નામનો ૩૭ વર્ષીય યુવાન લક્ષ્મીનગર રોડ ઉપરથી ઉંદરડી માતા જવાના રસ્તે બાઇક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં રઘુવીરસિંહને ઇજા થતાં અત્રે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામના રહેવાસી પ્રભુભાઈ અમરશીભાઈ કાસુન્દ્રા (૫૧) કારખાનેથી કામ કરીને પરત ઘરે જતા હતા ત્યારે વાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડ નજીક તેમની બાઇક આડે અચાનક ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત પ્રભુભાઈ કાસુન્દ્રાને અત્રે અત્રેની ડો. હેમલ પટેલની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો રાજેશ ભગવાનજીભાઇ પટેલ (૪૧) ગીતા ઓઇલ મિલ પાસેથી પસાર થતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાથી તેને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો છે 






Latest News