હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


SHARE











મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં તકસીરવાનને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કર્યો છે.

તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નની ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકિકત જોઈએ તો, ફરીયાદી એવા મોરબીના વતની સંદિપભાઈ જગદિશભાઈ શેરસીયાએ સામાવાળા મોરબીના જ વતની અનિલ માવજીભાઈ ડાભીને સપ્ટેમ્બર, ૨૦૨૨ માં હાથ ઉછીના પેટે રૂા.૫,૦૦,૦૦૦ આપ્યા હતા અને આ રકમ પરત ચૂકવવા માટે સામેવાળા અનિલ માવજીભાઈ ડાભીએ રૂા. ૫,૦૦,૦૦૦ નો ચેક ફરીયાદીને આપ્યો હતો.જે ચેક ફરીયાદીએ નાણા વસુલવા પોતાના ખાતામાં રજુ કરતા, ચેક વણચૂકવ્યે પરત થતાં, ફરીયાદી સુનિલભાઇએ અનિલ માવજીભાઈ ડાભીને નોટિસ આપેલ છતા તેણે ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા અંતે ફરીયાદી સંદિપભાઈએ અનિલ માવજીભાઈ ડાભી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એસ.એ.મેમણ સાહેબે અનિલ માવજીભાઈ ડાભીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચૂકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનિષ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલા હતા






Latest News